Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કરીયાણાની દુકાન ધરાવતા વેપારી યુવાનનો રણજીતસાગર ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક વેપારીએ ધંધો સારો ચાલતો ન હોય જેના ટેન્શનના કારણે ડેમમાં પડતુ મકી આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે. શહેરના પટેલ કોલોની શેરી નં.11માં રોડ નં.3 પાસે રહેતા વેપારી યુવાન ચિરાગભાઇ મહેશભાઇ રાજપાલ (ઉ.વ.25) નામના યુવાનનો રણજીતસાગર ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.કોઇએ મૃતદેહ પડયો હોવાની જાણ કરતા ફાયર ટીમે ઘટનાસ્થળ પર દોડી જઇ પાણીમાં બહાર કાઢયો હતો.જે બાદ મૃતકના પરીવારને જાણ કરાતા તેના ભાઇ સહિતના લોકો દોડી આવ્યા હતા.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ, જેમાં મૃતક યુવકે પોતાની કરીયાણાની દુકાનનો ધંધો ચારો ચાલતો ન હોય જેના ટેન્શનના કારણે આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.