Mysamachar.in-જામનગર
આજના આધુનિક સમયમાં પણ કેટલીય પરિણીતાઓને સાસરિયાઓ સિતમ આપતા હોય છે. પણ જયારે સહન શક્તિની હદ પૂરી થઇ જાય એટલે મોતને મીઠું કરી લેવામાં આવે છે, આવો જ એક કિસ્સો જામનગર જીલ્લાના કાલાવડમાં સામે આવ્યો છે, જ્યાં સંતાન ના થતા પરિણીતાને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. વેજાભાઈ ગોવાભાઈ સીંગરખીયાની પુત્રી વર્ષાબેનને તેના લગ્નજીવન દરમ્યાન સંતાન થતુ ન હોય જેથી સાસરિયા પક્ષના મનસુખભાઈ હમીરભાઇ બાબરીયા અને ભાનુબહેન હમીરભાઇ બાબરીયા આ બન્નેએ મરણ જનાર વર્ષાબેનને છેલ્લા આશરે એકાદ વર્ષથી તું વાંજણી છો અને તારે કોઇ સંતાન થતુ નથી તેમ કહી.
આ બાબતે અવાર નવાર મરણ જનારને મેણા ટોણા મારી માનસીક શારીરીક દુઃખત્રાસ આપી મારકૂટ કરતા હોય તેઓના આ ત્રાસથી મરણ જનાર વર્ષાબેન કંટાળી જઈ ગઇ તા.07/04/2021 ના રોજ સવારના સાડા આઠ વાગ્યાથી સાડા દશેક વાગ્યા દરમ્યાન પોતે પોતાની જાતે ઘરે એકલી હતી ત્યારે ઘરે પંખામા ચુદડી વડે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વર્ષાબેનને તેના પતિ અને સાસુએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા તેઓના દુ:ખ ત્રાસથી કંટાળી જઇ પોતાનું જીવન ટુંકાવવા અને મરણ જવા મજબુર કરી એકબીજાએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.