Mysamachar.in-જામનગર
પુરવઠા વિભાગની કામગીરીમાં પારદર્શીતા લાવવા માટે તંત્ર કાર્યરત છે તેમ ડીપાર્ટમેન્ટ દ્વારા મૂળભૂત ફરજો અંગેના પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝરમા દર્શાવાયુ છે, પરંતુ જામનગર જિલ્લા પુરવઠા તંત્ર કામગીરી કરતા હોવાના બણગા ફુકે છે પરંતુ તે લોકોને ગેરમાર્ગે દોરવાનો કારસો છે તેમ ચબરાકોનુ કહેવુ છે, DSO કચેરીએ જે લખેલુ છે તે અક્ષરસ: જોઇએ તો…… જામનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુના જથ્થાની જાળવણી વિતરણ તથા નિયમન અને તપાસણીને લગતી માહિતી નાગરીકો મેળવી શકે તે હેતુસર જામનગર જિલ્લાની પુરવઠા વિષયક માહિતી દર્શાવાય છે, અને તેનો હેતુ પુરવઠા વિષયક કામકાજમાં પારદર્શીતા અને જવાબદારીને ઉતેજન આપવાનો છે,
હવે અનેક રેશનવોર્ડ અનેક પેટ્રોલ પંપ ગેસ એજન્સીઓ કેરોસીન ડીપો તેમજ પુરવઠા ગોડાઉનો ઉપરાંત ગ્રાહક સુરક્ષાને લગત કામગીરી વગેરે ક્ષેત્રમા નિયમિત તપાસણી કરાય છે કે કેમ?? તેની માહીતી તો જિલ્લા પુરવઠા કચેરી પાસે રેકર્ડ ઉપર નથી માટે મુળભૂત ફરજ અને જવાબદારીનો ભંગ થાય છે તેવુ આર.ટી.આઇ.હેઠળની કલ્પેશ આશાણીની અરજીના જવાબ ઉપરથી લાગે છે, તો પુરવઠા ના ચાવવાના ને બતાવાના અલગ અલગ દાંત છે કે શુ?? કે ખરેખર બીજો કઇક હેતુ છે??
– કાયદાની જોગવાઇઓના ભંગ હોઇ સરકારમા જવાની અને કોર્ટમા પણ પડકારવાની તેમજ વીજીલન્સ ACB મા સ્ફોટક રેકોર્ડીંગની વિગતો અપાશે.
પ્રોએક્ટીવ ડીસ્કલોઝર એ કામગીરીનો રોડમેપ છે તે મુજબ કામ ન થતુ હોય તો ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ અને જિલ્લા પુરવઠા કચેરીના સ્ટાફને તેમજ અધીકારીને ખુલ્લા પાડવા જોઇએ તેવી માંગણી સાથે સરકારમાં તેમજ કાયદાની મુળભૂત જોગવાઇઓનો ભંગ હોય કાનુની રાહે પડકારવાની તજવીજ અરજદાર કરતા હોવાનુ જાણવા મળે છે, તેમજ વીજીલન્સમા અને એસીબીમા સ્ફોટક વિગતો જેના રેકોર્ડીંગ વગેરે અરજદાર પાસે છે તે ફરિયાદ સાથે પુરા પાડવા અરજદાર સજ્જ હોવાનુ પણ જાણવા મળ્યુ છે.