Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકાની અમુક લગડી અમુક સરવાણી વાળી અમુક ઢાંકપીછોડા વાળી તો કોક કામચોરી વાળી શાખાના કર્મચારીઓ ને વિભાગો તો ઠીક પરંતુ સ્ટ્રેટ ફોરવર્ડ કર્મચારીઓ અધીકારીઓ બિનજરૂરી રીતે લાંબા સમયથી કા કોક નગર સેવક કે આગેવાનની ઝાપટો ખાય..અપશબ્દો સાંભળે…કોક ના અપમાન થાય….કોક સાથે ગેરવર્તન થાય….કોકને રૂબરૂ કે ફોનમાં દબાવાય….વગેરે ઉપરાંત..જો કોક કામ કર્યુ તો અમુક બીજાના પણ કરવા દબાણ થાય….વોચ રાખીને બેઠેલા કોક ખાટ સવાદીયા અને અમુક તકવાદી નગરસેવક કા તો કહેવાતા આગેવાનો આ અમુક કર્મચારીઓ કે અમુક અધીકારીઓને નોકરી કરવી મુશ્કેલ કરી દે છે,
આ બાબત વધુ એક વખત તલસ્પર્શી રીતે વ્યુઅર્સ સમક્ષ મુકવાની એટલા માટે થઇ કે અમુક તો જે ખણખોદીયાઓ કર્મચારી કરતા પણ વહેલા આવી ચબરાકી કરે ને પોતે પહોંચ હોય તો જાતે નિપટાવે તો કોક આવા અમુક નગરસેવકને કે બહાર બીજાને બ્રીફ કરી ફાયદા માર્ગ બતાવતા હોય છે, તેવી ચર્ચાઓ વચ્ચે આવા સવાદીયાઓ કા હાંક બેસે કા પબ્લીસીટી મળે કા ફાયદો થાય કા કામ થાયા કરે તેવા હેતુથી જામનગર મનપામા આવા ઉભરતા અમુક-અમુક બાહુબલીઓથી કર્મચારીઓ અધિકારીઓ ને ત્રાસ અનુભવાય રહ્યો છે, ઘણી વખત ફરજમા પણ રૂકાવટ થાય છે( દરેક કર્મચારીઓ કે અધીકારીઓ ક્લીન એન્ડ ક્લીયર ન પણ હોય તે ઓ આવા લાગણા હોય તેઓની વાત જુદી છે કેમકે હાંકવા પડતા હોય પરંતુ જેમની મર્યાદા છે કામ કરવાની કે આઉટ ઓફ વે જવાની..તેઓને શા માટે દબાવવાના..અને હા એ લોકો પણ શક્ય તેટલા કામ કરી પણ દેતા જ હોય છે ને..) આવી અનેક ચર્ચાઓ વચ્ચે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પ્રજાપ્રતિનિધી તરીકેના કોડ ઓફ કંડક્ટસ ન પાળતા અમુક સામે પગલા ક્યારે લેવાશે? આ સવાલ વચ્ચે કાલ વધુ એક આવી જ ધાક જમાવાની બબાલ થઇ છે,
વાસ્તવિકતા એ છે કે અપવાદ સિવાયના શાસક વિપક્ષના ચુંટાયેલા કોર્પોરેટરોએ જે ખરેખર કરવાનું છે તે કરવું નથી અને અધિકારીઓને ત્રાસ આપવો કેટલી વાજબી બાબત છે, હા અધિકારીઓ કામ ના કરે તો તેના ઉપરી અધિકારીઓ છે તેનું ધ્યાન દોરવું જોઈએ પદાધિકારીઓને ફરિયાદ કરવી જોઈએ, પણ મનફાવે તેમ અધિકારીઓ કર્મચારીઓને કેટલાક સભ્યો ગાળો ભાંડે છે, ચેમ્બરમાં જઈ અને દાટીઓ મારે છે, અને કહેવાય ને કે અસહ્ય ત્રાસ આપે છે.પરિણામે અધિકારીઓ હતાશ થઇ જાય છે અને કામ કરતા ખચકાટ અનુભવે છે.અને આવું એક વાર નહિ અનેકવાર સામે આવ્યું છે, પણ નથી પદાધિકારીઓ આવા કોર્પોરેટરોને રોકી શકતા કે નથી ઉચ્ચ અધિકારીઓ આવા કોર્પોરેટરોને રોકી શકતા પરિણામે આવા જન પ્રતિનિધિઓની હિમ્મત દિવસે ને દિવસે વધવા લાગી છે.
ગઈકાલે પણ આવું જ થયું જેમાં વધુ એક વખત મનપાના એક વિપક્ષી કોર્પોરેટરની રીતસરની દાદાગીરી જોવા મળી, મનપાની જન્મ મરણ શાખાના અધિકારી સાથે નવા નવા આવેલ આ વિપક્ષ સભ્યે ઉગ્ર બોલાચાલી કરી અયોગ્ય વર્તન કર્યું જે બાદ વિપક્ષ નેતાને મામલો ધ્યાને આવતા બન્ને પક્ષે સમાધાન કરાવી અને મામલો પૂરો કરાવ્યો…હવે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકામાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહે છે, તો બીજી તરફ કર્મચારીઓ અને અધિકારીઓ આવા તુમાખીભર્યા વલણને સહન શા માટે કરે છે તે પણ સવાલ છે.
વારંવાર કેટલાક કોર્પોરેટરો કેટલાક અધિકારીઓની દુઃખતી નસ દબાવી અથવા પોતાની પાસે આવડત છે તેવો રૂબાબ બતાવીને ચોકકસ પ્રકારે “યથાયોગ્ય લાભ” પણ લે છે, તેમાં વિવિધ ખર્ચ “ફાળા” સ્વરૂપે લે છે જેમાં સામાજિક કાર્યક્રમો, લગ્નપ્રસંગ, બાળકોની સ્કુલ ફી, બહારગામ ફરવા જવાનો ખર્ચ સહિતના ખર્ચના નામે લાભો લેતા હોવાનું પણ ચર્ચાઓ સાંભળવા મળે છે, પણ અધિકારીઓને દબાવી દેવાની નીતિ ક્યાં સુધી જામનગર મનપામાં ચાલતી રહેશે અને અધિકારીઓના યુનિયન આવા મામલાઓમાં આગળ આવશે કે કેમ તે જોવાનું છે.વધુમાં ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં જે ઘટના બની તે નવી નથી અધિકારીઓ અને કર્મચારીઓને માર મારવા અને ગાળો દેવાની ઘટના આ અગાઉ પણ સામે આવી ચુકી છે.છતાં અમુક કિસ્સાઓમાં પગલા લેવાયા છે જયારે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ કાર્યવાહી થતી નથી.