Mysamachar.in-જામનગર
જામનગર પોલીસે આજે કેટલીય બેંકો સહિતના સ્થળોએ 50%થી વધુ કેપેસીટીમાં કર્મચારીઓ હાજર હોય તો તેની સામે જાહેરનામાં ભંગના ગુન્હા નોંધ્યા તે ખુબ સારી બાબત કહેવાય પણ જામનગર એમપી શાહ મેડીકલ કોલેજમાં માંડવા ખોળી અને તાલામાલને તાશીરો થયો જ્યાં જરા પણ સોશ્યલ ડિસ્ટન્સના જોવા મળ્યું અને તબીબી જગત સાથે સંકળાયેલા તબીબો જે લોકોને સુફિયાણી સલાહ આપતા હોય છે તે જ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા કરતા જોવા મળ્યા હવે તંત્ર શું પગલા લેશે તે જોવાનું છે.ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓના ઉકેલની અનેક વખત રજૂઆત કરવા છતાં અમુક અણઉકેલ પ્રશ્નોને લઈને કોરોનાના આ કપરાકાળ દરમિયાન જ સરકારનું નાક દબાવવાનો જાણે મોકો મળ્યો હોય તેમ અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરાનો કાર્યક્રમ યોજાયો,
ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન દ્વારા તેના વિવિધ પડતર પ્રશ્નો પર માગણીઓ કરવામાં આવી છે, આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પડતર પ્રશ્ર્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી. તેને લઇને જામનગર ગુજરાત મેડિકલ ટીચર એસો દ્વારા આજરોજ ડો.દીપક રાવલના નેજા હેઠળ મેડીકલ કોલેજના પટાંગણમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જો કે એપડેમિક ડીસીઝ એક્ટ લાગુ હોવા છતાં પણ અહી નિયમોના લીરા ઉડાવવામાં આવ્યા
-સીટી બી ડીવીઝન પી.આઈ.કે.જે.ભોયેએ કહ્યું અમે કોઈ મંજુરી આપી નથી કલેકટર સાહેબ જ મંજુરી આપે…
આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજના પટાંગણમાં માંડવા નાખી યોજાયેલ આ ધરણાના કાર્યક્રમની મંજુરી સ્થાનિક પોલીસ મથક એટલે કે સીટી બી ડીવીઝન પાસેથી લેવામાં આવી છે કે કેમ તે અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.કે.જે.ભોયે ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે મારા ધ્યાનમાં આવું કાઈ જ નથી અને હું તપાસ કરાવીશ અને કલેકટર સાહેબ જ જરૂરી મંજુરી આપે છે
-ડીન.ડો.નંદીની દેસાઈ કહે મેં સવારે જ પોલીસને જાણ કરી છે, અને કલેકટરની મંજુરી વિના ના બેસી શકાય..
આ મામલે જેની પ્રીમાઈસીસ છે તે મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈએ આ મામલે જણાવ્યું કે મેં સવારે જ એ લોકોને ના પાડી હતી, કે અત્યારે સંક્રમણ ફેલાય છે માટે સવારે ના પાડી બાદમાં જતા રહ્યા હતા, મેં તો સવારે ના પાડી હતી,અને મારા તરફથી કોઈ મંજુરી આપવામાં નથી
-ડો.દીપક રાવલને જયારે મંજુરી મુદ્દે પૂછવામાં આવ્યું તો કેમેરો જોઇને મો સંતાડ્યું, જો મંજૂરી હોય તો સાહેબ મો ના છુપાવાય..
અત્યારે મૃત્યુ અને લગ્નપ્રસંગોમાં સીમિત લોકોને મંજુરી આપવામાં આવી છે, એવામાં અહી આટલા મોટી સંખ્યામાં ડોકટરોનો એકઠા કરી આગેવાની લેનાર ડો.દીપક રાવલને આ માંડવા અને આટલા તબીબો એકઠા કરવા અંગે જરૂરી મંજુરીઓ છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ કેમેરાથી મો છુપાવીને કોઈપણ જાતની પૂર્વ મંજુરી ના લીધી હોવાથી ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા, અને કહ્યું કે હું આ બાબતે સોરી કહું છું જયારે તબીબી ક્ષેત્રના વ્યક્તિઓ આ રીતની ભૂલ કરે તે કેટલી યોગ્ય કહેવાય તે પણ અણીયારો સવાલ અહી ઉઠી રહ્યો છે. હવે તંત્ર કેવા અને શું પગલા લે છે તે જોવાનું છે.
-મંજુરી ના લીધી હોય તો પોલીસે ગુન્હો દાખલ કરવો જોઈએ..
પ્રવર્તમાન સંજોગોમાં દરેક કાર્યક્રમો માટે મંજુરી લેવી આવશ્યક છે અરે ત્યાં સુધી કે લગ્નની પણ મંજુરી લેવી પડે છે જો આ કાર્યક્રમમાં એક તો સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે અને મંજુરી પણ આ લખાય છે એટલે કે સાંજે 7 વાગ્યા સુધી આ આયોજક પાસે છે જ નહિ તો મંજુરી વિના વેપારીઓને જે રીતે સોશ્યલ ડિસ્ટન્સ સહિતના ગુન્હાઓ દાખલ થાય છે તેમ અહી પણ તંત્રએ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ