Mysamachar.in-જામનગર
જામનગર દર ચોમાસે ગટરોમાં વહી જતા લાખો ગેલન વરસાદી પાણીને આ વર્ષે જમીનમાં ઉતાવરવા જામનગર મનપાએ શહેરમાં 100 ફુટ ઉંડા 10 ઈંચ ડાયામીટરના 115 બોર અને 3 વિશાળ કુવા અને કુવામાં પણ બોર કરી વરસાદી પાણીને ભુતળમાં ઉતારવાની વ્યવસ્થા ચોમાસા પહેલા તૈયાર કરી રાખી છે. જે માટે પાઈપલાઈન પણ નંખાઈ ચુકી છે. જો આ ચોમાસામાં તંત્રને સફળતા મળશે તો વધુ 41 સ્થળોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભુગર્ભ જળના ઉચા લાવવા વ્યવસ્થા થશે. કુલ 56 કરોડનું ખર્ચ ધરાવતો રાજ્યનો પ્રથમ પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટ ખુબ સારો છે પણ તેની સફળતા કેટલી તે હવે આ વર્ષે વરસાદ થાય તે બાદ જ સ્પષ્ટ થશે,
સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી બાદ મ્યુ. કોર્પોરેશનની સીવીલ શાખાના ઈજનેરોએ ત્રણ સીવીલ ઝોનમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન સર્જાતો હતો તેવા વિસ્તારો સર્વે કરીને 43 લોકેશનો વોટર હાર્વેસ્ટીંગ માટે પસંદ કર્યાં બાદ હાલ તંત્ર દ્વારા રૂ.2 કરોડના ખર્ચે સ્વસ્તિક સોસાયટીથી પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કી.મી.ના પટ્ટામાં પાઈપલાઈન નાંખીને દર 30 મીટરે 100 ફુટ ઉડા અને 10 ઈંચ ડાયામીટરના 75 બોર અને અલગ અલગ સ્થળો પર 25 ફુટ ઉડા અને 15 ફુટ પહોળા પાંચ કુવા બનાવવામાં આવ્યા છે.
આ જ રીતે શહેરના સમર્પણ સર્કલથી ખાખીનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં પણ રૂા.35 લાખના ખર્ચે 700 મીટર લંબાઈમાં 25 બોર અને 2 કુવા બનાવાયા છે. સીવીલ વિભાગના ઈજનેરો જણાવે છે કે, જે આ ચોમાસામાં જામનગર મ્યુ.કોર્પો.ના બનાવેલા આ પ્રોજેકટનું પરિણામ ઈજનેરોએ પોતાની કોઠાસુઝથી મળશે તો બાકીના 41 વિસ્તારોમાં પણ ઝડપથી કામ કરીને આગામી દિવસોમાં જામનગરનું વરસાદી પાણી વેડફાય નહીં અને ભૂગર્ભ જળના તળ ઉચા આવે તે માટે કામગીરી થશે.આશા રાખીએ કે આ પ્રોજેક્ટ સફળ થાય અને મનપાએ ખર્ચ કરેલા પૈસામાં પાણી ના ફરી વળે..