Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જિલ્લાની 15 લાખની વસ્તીમાંથી કદાચ સાવ કસોકસ ટકાવારીમા ન જઇએ તો પણ અડધો અડધ તો લોકો ગરીબ સામાન્ય નિમ્ન મધ્યમ તેમજ રોજનુ કમાય રોજનુ ખાય વગેરે પ્રકારના છે, જેમને મળવાપાત્ર સસ્તા અનાજના જથ્થા અંગે પુરવઠા તંત્રના રેકર્ડ ઉપર લખ્યુ છે પરંતુ સાત લાખથી વધુ લોકો એટલે કે સવાથી દોઢ લાખ પરિવારો માટે અઢીસોથી વધુ વોર્ડમાથી મોટાભાગનામાથી તંત્રએ દર્શાવ્યુ છે તે મુજબ દર વખતે મળતુ નથી એનુ શુ?
પુરવઠા તંત્રના રેકર્ડ મુજબ અક્ષરસ: જોઇએ તો…ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રતિ કિલો રૂા.2 ના દરથી વ્યકિત દીઠ કુલ 5.500 કિલો ઘઉં તેમજ પ્રતિ કિલો રૂા.3/ ના દરથી વ્યકિત દીઠ કુલ 1.500 કિલો ચોખા આ યોજના નીચે આપવામાં આવે છે. આ યોજના નીચે કાર્ડદીઠ વધારાના 15 કિલો ઘઉં રૂા. 7.30/- ના દરથી તેમજ 4 કિલો ચોખા રૂા.7.20/- (પ્રતિ કિલો) ના દરથી તેમજ આયોડીન મીઠું 6 વ્યક્તિ સુધી 1 કિલો રૂા.1.00 ના દરથી અને 6 થી વધુ વ્યકિત માટે 2 કિલો રૂા.1.00 ના દરથી વિતરણ કરવામાં આવે છે. આગળ હજુ રેકર્ડ જોઇએ તો તેમજ અંત્યોદય યોજના નીચે કાર્ડદીઠ પ્રતિ 25 કિલો ઘઉંનું વિતરણ રૂા.2ના ભાવથી અને રૂા. 3ના દરથી 10 કિલો ચોખા અને આયોડીન મીઠું 6 વ્યકિત સુધી 1 કિલો રૂા.1.00 ના દરથી અને 6 થી વધુ વ્યકિત માટે 2 કિલો રૂા. 1.00 ના દરથી વિતરણ કરવામાં આવે છે.
ઉપરાંત વધુમા રેકર્ડ ઉપર લખ્યુ છે કે….અન્નપુર્ણા યોજના નીચે પાત્ર નિરાધાર વૃધ્ધોને માસીક 10 કિલો લેખે વાર્ષિક કુલ 120 કિલો ઘઉં વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રાંધણ ગેસ ન ધરાવતા કોઈપણ પાત્ર કાર્ડ હોલ્ડરો વ્યકિતદીઠ 2 લીટર માસીક મહતમ 6 લીટરની મર્યાદામાં જાહેર વિતરણ યોજના નીચે વાદળી રંગનું કેરોસીન નિયત દરથી વિતરણ કરવામાં આવે છે. અને જરૂરીયાતમંદ વ્યકિતઓને અનાજ આપવા અંગેની યોજના અન્ન ના. પુ.ગ્રા.બા. વિભાગના ઠરાવ ક્રમાંક-વભદ 102008-110(1)ક તા. 15/1/2009 અન્વયે વિનામૂલ્યે 10 કિલો અનાજ એ.પી.એલ. જથ્થામાંથી આપવામાં આવે છે.
આ ઉપરાંત mysamachar.in ના વ્યુઅર્સને જણાવીએ કે આ ઉપરાંત હજુ પણ જેમ વર્ષ 2020 મા કોરોના કાળમા આઠ મહિના પ્રધાનમંત્રી યોજનામા ફ્રી જથ્થો બધો અપાયો હતો તે જોગવાઇ હાલ 2021 મા પણ બે મહિના માટે છે તેમજ વખતોવખત તેલ, ખાંડ, કઠોળ વગેરે જેવુ પણ વિતરણ કરવાનુ થતુ રહે છે પરંતુ લોકોને જાણકારી પુરેપુરી મળતી નથી કે આવી માહિતીઓ લાભ મેળવનાર તમામને મળે તેવુ તંત્ર ગંભીર નથી ?? તે સમજી શકાય તેવી વાત છે.
હવે વ્યુઅર્સને એ જોવાનુ છે કે રેકર્ડ ઉપર આ રીતે છે તો તમે જ કહો આ રીતે નિયમિત મળે છે?? કેમકે mysamachar.in ની આ ઝુંબેશ જેમ અન્ય જરૂરી ચીજવસ્તુઓ લોકોને સમયસર પુરતી નક્કી ભાવે અને ગુણવતાવાળી મળે તે માટે છે જેમા સસ્તા અનાજવાળો પ્રશ્ન વધુ વિકરાળ છે અને લોકોની ખુબ જ ફરિયાદો છે માટે તે અંગે વિશેષ જાણકારી જાહેર કરવા રેકર્ડ ઉપરની વિગતો લોકોના હિત માટે એટલે જાહેર કરાઇ કે પબ્લીક એક તો જાણી લે કે જામનગરનુ જિલ્લા પુરવઠા તંત્ર કાગળ ઉપર શુ લખે છે અને વાસ્તવિકતા શુ છે?? વરવી જ છે ને?? તો શા માટે આ ખેલ થાય છે?? ગરીબોને અનાજના સો એ સો ટકા લાભથી દૂર રાખી છડેચોક કાયદાના ભંગ શુ કામ?? લોકોએ તંત્રને ઢંઢોળવુ જ પડશે કેમકે વાસ્તવિકતા વરવી છે ને રેકર્ડ પર સુફીયાણી વાતો છે.
-જામનગર જીલ્લામાં ક્યાય પણ અન્યાય થાય તો પહેલા ફરિયાદ કરો અને નિકાલ ના આવે તો સંપર્ક કરવો
માત્ર જામનગર જીલ્લામાં આપને જો સસ્તા અનાજ મુદે અન્યાય થતો હોય તો લગત મામલતદાર ઓફીસ અથવા પુરવઠા અધિકારી 7567022435 અને જો આ નંબર પર ફરિયાદ કરવાથી ઉકેલ ના આવે તો આપ જામનગર જીલ્લા માટે my samachar નો સંપર્ક 98242 07627 પર કરી શકો છો.જો પુરતો જથ્થો ના મળે અને અસંતોષ હોય તો પહેલા તંત્રને ફરિયાદ કરી તેને કોપી અમને મોકલી શકો છો, અમે અમારા સમાચાર માધ્યમમાં તેની ખરાઈ કરી સ્થાન આપવાનો પ્રયાસ કરીશું.