Mysamachar.in-અમદાવાદ:
જામનગર પંથકમાં શનિવારે બપોર પછી વાતાવરણ પલટાયું હતું. જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યના હવામાન ખાતાની એક યાદી અનુસાર આગામી પાંચ દિવસમાં હળવાથી ભારે કહી શકાય એવા વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં હળવાથી ભારે કહી શકાય એવો વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને આવનારા પાંચ દિવસોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તથા કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
સોમવારે ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સોમવારથી સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં વાતાવરણ સુકૂ રહેશે. જ્યારે તા.20 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની પૂર શક્યતાઓ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકુ રહેશે. જોકે, સમુદ્રમાં નવી સિસ્ટમ સર્જાતા સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. તા.21થી વાતાવરણમાં ફરી એક પ્રકારનો પલટો જોવા મળશે.જોકે, સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થશે. ખાસ કરીને દરિયાના કિનારના વિસ્તારમાં એક સિસ્ટમ ફરી સક્રિય થતા સારો વરસાદ થાવની પૂરી સંભાવના છે. હવામાન ખાતાએ આવનારા પાંચ દિવસ સુધી સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. વરસાદનો આ બીજો રાઉન્ડ સારો રહ્યો તો ખેડૂતોની ચિંતા હળવી થઈ જશે.