Mysamachar.in-જામનગર:EXCLUSIVE
શિક્ષણ નોકરી તેમજ સાધન સુવિધા સહિતના મહત્વના ક્ષેત્રમા વધુ લાભ મેળવી SC અને ST વર્ગ પોતે ઉત્કર્ષ કરી વંચીતમાથી વિકસીત થાય અને સૌ સમાન જીવનધોરણ વિતાવી શકે તે માટે ભારતની આઝાદી થી જ આ બાબતે ગંભીરતાથી વિચારણા થઇ અને અતી અગત્યની બંધારણીય જોગવાઇઓ થઇ તે જોગવાઇઓનુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચુસ્ત પાલન કરવાનુ છે તેવી જ રીતે સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓએ તો અત્યંત ફરજીયાત રૂપે પાલન કરી આ વર્ગના ઉત્કર્ષ માટે ભરતી બઢતી બદલીઓ વગેરેમા રોસ્ટરનો પુરો અમલ કરવાનો છે પરંતુ કોને ખબર જામનગર કોર્પોરેશનને આ પ્રક્રિયામા રસ જ નથી માટે SC અને ST ઉમેદવારોને હળાહળ અન્ય કરવાના અનેક કારસાઓ કર્યા છે અને હજુય કરતા હોય તેવા તમામ જવાબદારો સામે પગલા લેવા ઉગ્ર અહિંસક આંદોલન તેમજ વડી અદાલતના દ્વાર ખખડાવાની તૈયારીઓ કરાઇ છે., SC ST ને થઇ રહેલા અન્યાય બાબતે પણ વડી અદાલત સમક્ષ કેસ કે રીટ દાખલ થઇ શકે છે તેવુ જાણકારોની ચર્ચા ઉપરથી તારણ નીકળે છે,
આ માટે ન્યાય અપાવવા માટે જામનગર મનપાના પૂર્વ કોર્પોરેટર અને વિરોધપક્ષના પુર્વ નેતા આનંદ ગોહિલ તેમજ હાલના કોર્પોરેટર આનંદ રાઠોડ બંને ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા હોઇ પરીણામલક્ષી અસરકારક લડત આપવાના છે તેનુ પ્રથમ પગલુ ઉપાડ્યુ હોઇ કોર્પોરેશનની બેધારી નિતી ખુલ્લી પડી રહી છે, અને SC-ST નોકરીયાતને ભરતીમા કે બઢતીમા જે હળાહળ અન્યાય થઇ રહ્યો હોય ત્યારે આ બન્ને આગેવાનોએ મહત્વનુ બીડુ ઝડપ્યુ હોઇ પરીણામલક્ષી લડત બની રહેશે તેમ માનવામાં આવે છે.
કેમકે રોસ્ટર મામલે કાયદા નિયમ અને SC-STના સમાનતાના બંધારણીય હક ઉપર મેલી મુરાદ થી જામ્યુકોના ચોક્કસ ત્રણ થી ચાર જવાબદારીઓ નિભાવતા લોકો કારસા રચીને આ વંચિત વર્ગ જેમને સામાજીક આર્થિક અને જીવન ધોરણની પ્રગતિ થઇ દરેક વર્ગ સાથે દરેક તબકકે માનભેર અને સમાનતાના બંધારણીય હક સાથે જીવન વ્યતીત કરી શકે એ હેતુ માટે રોસ્ટર સહિતની દરેક અનામત જરૂરી છે પરંતુ જામનગર મનપા આ વંચિત વર્ગના મુળભૂત હક ઉપર તરાપ મારી રહ્યુ છે જેની સજા જવાબદારોને મળવી જ જોઇએ તેટલી ગંભીર અને સેન્સીટીવ આ મામલો છે જે બોંમ્બ બની રહેશે જેની તૈયારી કરવા માટે મુદાસર કમીશનરને રજુઆત થઇ છે, અને લગત ને બોલાવી બોલાવી અનેક તપાસ કમીશનર જોઇ રહ્યા હોઇ તેમજ Ipc બંધારણ કોર્પોરેશને બહાલી આપેલા સ્ટેન્ડીંગ કમીટીના પણ ઠરાવ રોસ્ટરના નિયમો પેટા નિયમોના સહિતના મામલે ઝીણવટ ભરી તપાસ આરંભાતા વર્ષોના અન્યાય બાદ હવે SC-ST ઉમેદવારો માટે આશા બંધાય છે, તેમ પણ જાણવા મળે છે, વળી રોસ્ટર રજીસ્ટરમા કોર્પોરેશનના ચોક્કસ ભેજાઓ દાવ ખેલે છે અને આ રીતે ચોક્કસ અને બહોળા વંચીતોને હળાહળ અન્યાય કરાઇ રહ્યા છે તેની હવે સ્ફોટક વિગતો બહાર આવી રહી છે ત્યારે આ મામલો ખુબ ચગશે અને કારસા કરનારાઓને ભીંસ વધશે કેમકે એનુ અતિ ગંભીર સ્વરૂપ આકાર લઇ રહ્યુ છે,
-સરકારનો સ્પષ્ટ અભિગમ છતા પાલન ન થતુ હોય એટ્રોસીટી એક્ટ હેઠળ લો પગલા…..
સરકારના સામાન્ય વહિવટ વિભાગના તેમજ સામાજીક ન્યાય અને અધીકારીતા વિભાગના વખતો-વખતના ઠરાવો પરીપત્રો તેમજ રોસ્ટર નિયમો મુજબનો અમલ જામ્યુકો કરતુ નથી ત્યારે આ ગંભીર બાબતે સરકારનો અભિગમ શુ છે તે જોઇને JMCમાં SC અને ST બઢતી અને ભરતીના નિયમોમાં થઇ રહેલા અન્યાય સાથે ઉલાળીયા અંગે સનસનીખેજ આધાર પુરાવાઓ સાથેની રજૂઆત થઇ છે કેમકે કેટલાક અધિકારીઓએ પોતાની ઘરની ચલાવી તેની સામે એટ્રોસિટી એક્ટ મુજબ પગલા લો કેમકે જામનગર મહાનગરપાલિકા મેનપાવર એજન્સીઓ પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ કરી અને એજન્સીઓને કમાવવાની તક પૂરી પાડે છે, પણ ખરેખર થવી જોઈતી ભરતીઓ અને બઢતીઓ થતી નથી અને થાય છે તેમાં નિયમોને નેવે મૂકી અને આડેધડ તંત્ર ચાલી રહ્યું છે અને તે પણ આજે નહિ વર્ષોથી…ત્યારે હવે આ મામલે પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ આનંદ રાઠોડ મેદાને આવ્યા છે, અને અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીને થતા અન્યાય મુદ્દે લડી લેવાની તૈયારી દર્શાવી છે.
-માત્ર ખાલી જગ્યા નહી કુલ જગ્યાના અનુપાતમા રોસ્ટર રજીસ્ટર બનાવવા અદાલતનો આદેશ છે
પૂર્વ કોર્પોરેટર દ્વારા જામનગર મ્યુ.કમિશ્નરને વિસ્તૃત સંદર્ભો સાથેની એક રજૂઆત મોકલી છે તે ચોકાવનારી છે.અને તે વાંચતા પ્રથમ દર્શનીય રીતે જ મહાનગરપાલિકાએ નિયમોને નેવે મૂકી ભરતી અને બઢતી કરી અને “મારા એટલા સારા જેવો ઘાટ” અત્યારસુધી ઘડ્યો હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો છે, અને તેમાં હાલ ફરજ બજાવતા અને કેટલાક પૂર્વ ચતુર અધિકારીઓની ભૂંડી ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અને તેના નામજોગ તેની સામે એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.અનુસુચિત જાતી SC અનુસુચિત જનજાતી ST અને સામાજિક શૈક્ષણિક પછત વર્ગ માટે નોકરીમાં અનામતને લગતી પધ્ધતિ માટે રોસ્ટર પધ્ધતિ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. અને તેની અમલવારી અને SC અને STની સીધી ભરતી વર્ગ અને 2 માટે તા1/1/1972 અને SC અને ST ની સીધી ભરતી વર્ગ 3 અને 4 માટે તા.20/6/1973 થી સીધી ભરતીમા કિસ્સામાં બેકલોગ સાથે અને બઢતીના કિસ્સામાં તા01/01/1976 થી બેકલોગ સાથે અમલમાં મુકવામાં આવેલ છે.
શરૂઆતમાં આ અમલવારી એ ખાલી જગ્યા આધારિત હોઈ આ સામે નામદાર અદાલતમાં વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ એક કેસને લઈને નામદાર સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે એવું ઠેરવ્યું કે સરકારી સેવામાં ખાલી જગ્યા આધારિત રોસ્ટરના સ્થાને જગ્યા આધારિત રોસ્ટર પધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે ઠરાવો અને પરિપત્રો સામાન્ય વહીવટ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ છે.પણ જામનગર મનપામાં તેને ધ્યાને રોસ્ટર રજીસ્ટરો નિયમો અનુશાર સીધી ભરતી માટે અને બઢતી માટે અલગ અલગ તૈયાર કરવાના રહે છે, પરંતુ જામનગર મહાનગરપાલિકામાં ભરતીના સને 1984 ના અલ્પ સંખ્યક જગ્યાના નિયમો છે.પરંતુ ત્યારબાદની ઉભી થયેલ જગ્યાના કોઈ નિયમો નથી અને બઢતીના કોઈ જ નિયમો બનાવવામાં આવેલ નથી. મુખ્ય વાત જગ્યાઓમાં સીધી ભરતીથી અને બઢતી થી જગ્યા ભરવા બાબતે કોઈ નિયમ આજ પરીયતે બનાવેલ ના હોઈ, હવે જો નિયમો જ ન હોય તો ભરતી અને બઢતીના રોસ્ટરો અલગ અલગ કેવી રીતે તૈયાર થાય.
-અમે અન્યાય કરતા જ નથી….માટે આક્ષેપ પાયા વિહોણા છે..!?
જામનગર કોર્પોરેશનમા રોસ્ટર જેવી ગંભીર બાબતે અન્યાય અને ગેરરિતી થતી હોઇ એડવોકેટ અને પ્રજાપ્રતિનિધીએ 13 પેજની સચોટ અને સરકારના ઠરાવ પરિપત્ર એસ.ઓ. તેમજ હુકમ સંદર્ભ મુજબ પાલન કરવા દર્શાવાયુ પરંતુ ડીએમસી એ.કે.વસ્તાણી એ જણાવ્યુ કે અમે કોઇ ને અન્યાય કરતા જ નથી…..બધુ જ નિયમ મુજબ અને રોસ્ટર પદ્ધતિ મુજબ જ થાય છે.