Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં જ એક યાદી જાહેર કરીને શહેરના ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી સુધીના રસ્તા પર ફ્લાયઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી, અને તેની પાછળ ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવો વિશ્વાસ પણ મનપા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, પણ ખરેખર તો આ બ્રીજ નો ડીપીઆર એવો હતો કે સાતરસ્તાથી માંડીને સુભાષબ્રીજ સુધીનો તમામ ટ્રાફિક ઓવરબ્રીજ બનવાથી હળવો થશે. ત્યારે હવે જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ આ મામલે એક યાદી જાહેર કરીને સાતરસ્તા થી સુભાષબ્રીજ સુધીનો ફ્લાયઓવર બનાવવા રજૂઆત કરી છે, વિક્રમ માડમે જાહેર કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જે ટુકડો ફ્લાયઓવર બ્રીજનો બનવાનો છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, અને પ્રથમ જે પ્લાન બન્યો હતો તે પ્રમાણે નાં કોઈનો વ્યક્તિગત લાભાલાભ પણ લોકહિતને અને શહેરની ટ્રાફિક સમસ્યાને ખરા અર્થમાં નિવારવા માટે સાતરસ્તાથી સુભાષબ્રીજ સુધીનો ઓવરબ્રીજ બનાવવો જોઈએ.