Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં રહેતા અને RSSના વરિષ્ઠ આગેવાન ભાનુદાદા પર ગઈકાલે સાંજે હુમલાની ઘટનાથી સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો, જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે હનુમાનજી મંદિરના મેદાનમાં શાખા દરમિયાન જ બે શખ્સો સાથે સિગારેટ ત્યાં ના પીવાની બાબતે બોલાચાલી બાદ બન્ને શખ્સો ધક્કો મારી ભાનુભાઈને પછાડી દીધાની વિગતો સામે આવી છે. ઘટના એટલા માટે વધુ ગંભીર બની કે ભાનુભાઈ પટેલ કે જેવો ભાનુદાદા તરીકે ઓળખાય છે, તેવો RSS સાથે વર્ષોથી નાતો ધરાવે છે, અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ સાથે સીધી વાત કરી શકે છે, તેમની સાથે અયોગ્ય વર્તનની જાણ છેક ઉપર સુધી થતા ગાંધીનગરથી ઘંટડીઓ સ્થાનીક તંત્ર પર રણકવા લાગી હતી, અને ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈ પણ કાલાવડ ખાતે તાબડતોબ પહોચ્યા હતા, અને બન્ને શખ્સો રાતોરાત ઝડપાઈ જાય તે માટે ટીમો દોડાવી હતી,
RSS સાથે વર્ષોથી જોડાયેલા કાલાવડના ભાનુભાઈ પટેલ કે જેવો ભાનુદાદાથી ઓળખાય છે, તેવો શહેરના હનુમાનજી મંદિર નજીક આવેલ મેદાનમાં શાખા ચાલી રહી હતી ત્યાં હાજર હતા તે દરમિયાન ત્યાં આશીફ બાનવા અને સિરાજ સંધી નામના બે શખ્સો સિગારેટ પી રહ્યા હતા, જ્યાં સિગારેટ પીવાની ભાનુદાદા સાથે રહેલા અરુણભાઈ ચૌહાણએ ના પાડતા બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા, અને અરુભાઈ તેમજ ભાનુદાદાને ગાળો ભાંડયા બાદ તેને ધક્કો મારીને નીચે પછાડી દેતા તેમને શરીરે મુંઢ ઈજાઓ પહોચી હતી,
જે બાદ આવેલ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેત્તા મામલો ગરમાયો હતો અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તો જામનગર સાંસદ પુનમબેન માડમ પણ કાલાવડ ખાતે પહોચ્યા હતા, બે દિવસ પૂર્વે જ જામનગર સાંસદ પૂનમબેન માડમે કાલાવડ ખાતેના તેમના પ્રવાસ દરમિયાન ભાનુ દાદાના નિવાસ સ્થાને તેઓની સાથે મુલાકાત લીધી હતી.