Mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં I.A.S. કેડરના અધિકારીઓની બદલીઓના ઓર્ડરો એકીસાથે થયા નથી, ત્યારે સુત્રોના હવાલેથી જે અહેવાલો મળી રહ્યા છે, તે પ્રમાણે હાલમાં ચાલી રહેલ વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ રાજ્ય સરકાર અધિકારીઓની બદલી કરવાની તૈયારીમાં છે. હાલ સરકારે સચિવાલય અને જિલ્લાસ્તરે D.D.O થી લઈને કલેકટર અને શહેર મનપા કમિશનરોની બદલીની યાદી તૈયાર કરી લીધી છે, જેમાં કેટલાય જીલ્લાના કલેકટર, કમિશ્નર અને જીલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓ થઇ શકે છે, બદલીઓમાં સૌરાષ્ટ્ર કેન્દ્રસ્થાને રહે તેમ મોટાભાગના જિલ્લાઓમાં ફેરબદલ થઇ શકે છે, ઉપરાંત કેટલાક I.P.S. અધિકારીઓ જેને બઢતીના ઓર્ડર થયા છે તેને વિધિવત પોસ્ટીંગ પણ આપવામાં આવી શકે છે.