Mysamachar.in-ગાંધીનગર
લોકડાઉનના બીજા તબક્કા વચ્ચે રાજ્યમા કોરોના પોજીટીવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો તેવા આંકડાઓ રોજ સવારે સામે આવે છે, આજે પણ રાજ્યમાં કુલ 56 કેસો નવા નોંધાતા કુલ આંકડો 695 સુધી પહોચ્યો છે, જયારે અત્યારસુધીમાં 30 લોકોના મોત થયા છે, રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં 404 નોંધાયા છે, તો એ સિવાય ગાંધીનગર16, વડોદરા 116, ગાંધીનગર 16, સુરત 48, રાજકોટ 18, ભાવનગર 26, કચ્છ 4, મહેસાણા 4, ગીરસોમનાથ 2, પોરબંદર ૩, પંચમહાલ 5, પાટણ 14, છોટાઉદેપુર 5, આણંદ 10, ભરૂચ 11, જામનગર મોરબી અને સાંબરકાંઠામાં એક એક કેસ, દાહોદ અને બનાસકાંઠામાં બે બે કેસ નોંધ્યા છે.