Mysamachar.in-જામનગર
જામનગરના લાખોટા તળાવનીપાળ સંતશ્રી પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ આવેલ છે, અહી કોઈ પણ દિવસ હોય ચાહે ઉનાળો, શિયાળો, કે પછી ચોમાસું, વાવાઝોડું હોય કે ભૂકંપ અહી છેલ્લા 57 વર્ષથી દિવસ અને રાત એક પણ ક્ષણના વિરામ વિના શ્રી રામ જય રામ જય જય રામની અંખડ રામધુનનું સંકીર્તન ચાલી રહ્યું છે, આ મંદિર સાથે લાખો ભાવિકોની આસ્થા જોડાયેલી છે, પણ હાલ કોરોના મહામારીને કારણે મંદિરના દ્વાર ભક્તો માટે છેલ્લા કેટલાય દિવસોથી બંધ છે, ત્યારે આજે રામનવમીના પાવન દિવસે જયારે આ મંદિરમાં હજારો લોકોની ભીડ જોવા મળતી હોય છે તેને બદલે લોકો મંદિર બહારના દ્વારથી શીશ ઝુકાવી પોતાની આસ્થા પ્રભુને સમર્પિત કરી અને કોરોના મહામારીનો પ્રભુ ખાત્મો બોલાવી અને લોકોને રાહતનો શ્વાસ બક્ષે તેવી પ્રાર્થના કરે છે.