Mysamachar.in-જામનગર
કોર્પોરેશન એટલે સ્થાનિક સરકાર…સ્થાનિક સરકારમા તો સ્થાનિક પ્રશ્નનોના નિકાલ માટે જાગૃત રહે તેવા ઉમેદવારો જોઇએ અને ચુંટાય છે પણ એવા જ ઉમેદવાર જે પ્રજાના રોજબરોજના જરૂરી જાહેર સેવાના કાર્યો કરવાના તેમજ સમાજસેવા કરવાના ઉત્સાહી હોય અનુભવી હોય અને લોકોની વચ્ચે રહેતા હોય આવી મહત્વની બાબતોને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટીએ સેવાના ભેખધારી દંપતિને જામનગર કોર્પોરેશનની ચુંટણીમા ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોય આ દંપતિનુ ચુંટણી ચિહ્ન ઝાડુ ફરી વળશે તેવુ વાતાવરણ સર્વેક્ષણમાં જોવા મળ્યુ છે, કેમકે એક તરફ પક્ષની લોકપ્રિયતા તેમજ અનુભાઇ અને શિલ્પાબેનની તેમના સમાજ ઉપરાંત દરેક સમાજમા લોકપ્રિયતા છે,
આ વખતે જામનગર મહાનગરપાલિકાનો જંગ કંઇક નવા પ્રકારનો બની ગયાનુ લોકોમાંથી જાણવા મળ્યુ છે કારણ કે આ વખતે ભાજપ તેમજ કોંગ્રેસ જેવા પક્ષોને છોડી લોકો આમ આદમી પાર્ટીની કાર્યપ્રણાલીથી પ્રેરાઈ રહ્યા છે, એવામાં સમાજમાં સ્વચ્છ છબી ધરાવનારા યુવા ચહેરો હોય અને પ્રજાના પ્રશ્નો અને તેના ઉકેલના અનુભવી હોય તેવા લોકોની જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવી છે, તેને જોતા એવું લાગે છે, કે આ વખતે મનપાની ચુંટણીમાં ઝાડું ખરેખર કમળ અને પંજા ઉપર ભારે જ પડશે કેમકે લોકો એ આ ત્રીજો વિકલ્પ તરફ પસંદગી તરફ વળી રહ્યાનું વાતાવરણ બની રહ્યું છે, અને લોકોની આ પસંદગી મુજબ મનહરભાઇ (અનુભાઇ) ની વોર્ડનંબર 14 માં અને શિલ્પાબેનની વોર્ડ નંબર 4 માં ઉમેદવારી આમ આદમી પાર્ટીમાંથી થઇ જેથી લોકોની ઇચ્છા અને પસંદગીને ન્યાય મળ્યો છે,
જામનગર કોર્પોરેશનની ચુંટણી જંગમાં પહેલીવાર પતિ પત્ની બંનેને ટિકિટ ફાળવવામાં આવી છે, જેમાં મનહરભાઈ જે અનુભાઈ રાઠોડથી ઓળખાય છે તેમને વોર્ડ નંબર 14 માંથી જયારે તેમના ધર્મપત્ની શિલ્પાબેન મનહરભાઈ રાઠોડ જે મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે તેમને વોર્ડ નંબર 4 વિસ્તારમાંથી મેદાને ઉતારવામાં આવ્યા છે, આ સમાજસેવાના ભેખધારી અને પ્રજા માટે જાગૃત દંપતિની માહિતી વધુમા જાણવા મળી તે મુજબ…
મનહરભાઈ સમસ્ત કોળી સમાજ જામનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ અને આમ આદમી પાર્ટી જામનગર શહેરના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે, અને બહોળું મિત્ર વર્તુળ જામનગર અને સૌરાષ્ટ્રભરમાં ધરાવે છે તેઓ યુવાન વયમાં લોકપ્રિય આગેવાન ગણાય છે અને કોળી સમાજ સહિત દરેક સમાજ માટે સતત કાર્યશીલ રહી લોકઉપયોગી કાર્યો કરતા જ રહે છે, તેઓએ તેમના પિતા કચરાભાઈ જીવરાજભાઈ રાઠોડના પગલે ચાલી સેવા અને લોકઉપયોગી કાર્યોની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખી છે, કેમકે મનહરભાઈ જેને લોકો અનુભાઈથી ઓળખે છે તેમના પિતા કચરાભાઈ જીવરાજભાઈ રાઠોડ જામનગર જીલ્લા કોળી સમાજ પ્રમુખ રહેલા અને સમાજમાં તેવોનું અનોખું યોગદાન રહેલું છે.
તેવી જ રીતે વોર્ડ નંબર 4માંથી અનુભાઇના ધર્મપત્નિ શીલ્પાબેન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર માટેના ઉમેદવાર છે તેઓ અગાઉ એક વખત કોર્પોરેટર તરીકે ચુંટાયેલા છે માટે કોર્પોરેશનની કાર્યરીતી અને લોકોના પ્રશ્ર્નોના અનુભવ જાણે છે માટે પબ્લીકમા તેઓ લોકપ્રિય હોય એ સ્વાભાવિક છે, આમ લોકો માટે તમામ જરૂરી સુવિધાઓ કાંતો ફ્રી આપવાની અથવા સાવ સામાન્ય દરથી આપવાની પ્રજાલક્ષી નિતિ આમ આદમી પાર્ટીની છે માટે જ લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા થનગનતા હોય એ દેખીતુ છે, માટે જ મનહરભાઇ (અનુભાઇ) વોર્ડ નંબર 14 માંથી અને તેમના પત્નિ શિલ્પાબેન વોર્ડ નંબર 4 માંથી બીજા પક્ષોના ઉમેદવારોને લોકોના જંગી સહયોગથી હરાવી લોકપ્રિયતા સ્થાપીત કરશે તેવા અભિપ્રાયો મળી રહ્યા હોય પતિ પત્નિ બંને કોર્પોરેટર હોય તેવો ઇતિહાસ સર્જાશે તેમ લોકોના ઉત્સાહને જોતા તારણ નીકળે છે.