Mysamachar.in-અમરેલી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ કાર્યક્રમોમાં તેમને હાજરી આપી હતી, આ દરમિયાન એક કાર્યક્રમ જાહેરમંચ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખે એક મહત્વનું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યુ કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ન આપવાનો નિર્ણય માત્ર જીલ્લા પંચાયતો અને અને મહાનગરપાલિકાઓ માટે છે. ધારાસભ્યોની ચૂંટણીમાં આ નિયમ લાગૂ નથી. મહત્વનું છે કે છ મહિના પૂર્વે ગુજરાતમાં યોજાયેલી છ મહાનગરપાલિકા અને અન્ય પાલિકાની ચૂંટણીમાં ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેટરો અને નેતાઓને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી. ભાજપે આ માટે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ હવે પાટીલે સ્પષ્ટતા કરી છે કે ધારાસભ્યની ચૂંટણીમાં આ નિયમ લાગૂ નથી.હવે આ નિવેદનથી 60 વર્ષથી વધુ વયના અને ટીકીટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી ગયો હશે તે વાત નિશ્ચિત છે.