Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામે મંદિર અને બંધ મકાનને ટાર્ગેટ બનાવી લાખોની મતા ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે, તો પોલીસ રાત્રી પેટ્રોલિંગ કરે છે કે પછી કેમ તે પણ સવાલ આટલી મોટી મતાની ચોરી પછી ઉઠ્યા છે,
આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં તસ્કરોએ ખોડિયાર માતાજીના મંદિર અને બંધ રહેણાક મકાનમાં ત્રાટકી રૂ. 8 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને રોકડ રૂ.1 લાખ તેમજ 24 તોલા સોનાના દાગીના અને 28,750 ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.7,38,750 નો માલ મતાની ચોરી કરીને નાશી છૂટ્યા હતા.તેમજ ગામમાં જ આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી તસ્કરો ચાંદીના છતર તેમજ ચાંદીનો માતાજી નો હાર અને દાન પેટીમાં મળેલા દાનના રોકડ રૂપિયા મળીને કુલ રૂ.62 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.જાણવા મુજબ તસ્કરો 3 કિલો ચાંદીના છતર તેમજ કબાટમાંથી નાના છતરો પણ ચોરી ગયા છે.ઘટનાની જાણ થતાં જ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી તપાસ કરી તસ્કરોનું પગેરું મેળવવા મથી રહ્યા છે.