Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા આજે સરકાર ખુદ જામનગરને આંગણે આવી એટલે કે મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ જામનગરમાં સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી જેના માત્ર મહત્વના મુદ્દાઓની હાઈલાઈટ આ પ્રમાણે છે.
-ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસીવીર ઇન્જેકશન વિના ન રહે એની સંપૂર્ણ તકેદારી સાથે અમે જવાબદારીપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
-રાજ્ય સરકાર વર્તમાન કોવીડ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાને જે પણ જરૂરીયાત હશે તે તમામ પૂરી પાડવા કટિબધ્ધ
-આવનારા સમયમાં ખંભાળીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે સુસજ્જ કરવામાં આવશે તેમજ ત્યાં તાત્કાલિક નવી આર.ટી.પી.સી.આર. લેબોરેટરી ઉભી કરવામાં આવશે
-કોરોનાની બીજી લહેર ખૂબ જ વ્યાપક છે જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે.
-તાત્કાલિક સઘન સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલો સુસજ્જ કરાઇ છે.
-15મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના 41 હજાર બેડ હતા. જે વધારીને 15 એપ્રિલ સુધીમાં 75 હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે ઓકસીજન, પેરામેડીકલ તથા મેડીકલ સ્ટાફ, વેક્સીન તેમજ ઓક્સીજન સુવિધા સાથેના બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
-આવનારા 15 દિવસમાં 8 થી 10 હજાર બેડનો વધારો કરી બેડ અંગે પડતી મુશ્કેલી નિવારવામાં આવશે. ઓક્સિજનની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે.
-હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે જે મુજબ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા જ્યારે ગંભીર કે અન્ય રોગો ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે.
-રાજ્ય સરકાર વર્તમાન કોવિડ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાને જે પણ જરૂરીયાત હશે તે તમામ મદદ પૂરી પાડવા કટિબધ્ધ છે.
-જામનગરમાં સરકારી દવાખાનાઓમાં 1608 બેડની સુવિધા ઉભી કરાઇ છે જ્યારે ટુંક સમયમાં અન્ય વધુ 370 બેડનો ઉમેરો કરવામાં આવનાર છે. જેમાના વધુમાં વધુ બેડ ઓકસીજનની સુવિધાથી સજ્જ હોય તેની તકેદારી રખાશે. સાથે સાથે દર્દીઓના પોષણયુકત ભોજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
-આવનારા સમયમાં ખંભાળીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે સુસજ્જ કરવામાં આવશે તેમજ ત્યાં તાત્કાલિક આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેની નવી લેબોરેટરી ઉભી કરવાનો નિર્ણય કરાયો છે.
-કુંભ મેળામાં ગયેલા ગુજરાતના લોકોને સીધા જ પોતાના ગામમાં પ્રવેશ મેળવી શકશે નહી આ તમામ લોકોના ફરજીયાત ટેસ્ટ કરવામાં આવશે તેમજ આઇસોલેટ કરવામાં આવશે.