Mysamachar.in-જામનગર
શહેરમાં સંખ્યાબંધ નળ કનેક્શન ભુતિયા હોવાથી કોર્પોરેશન હવે ફોજદારી ફરિયાદ સહિતના પગલા લેશે તેમ કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીએ જણાવ્યુ છે. કેમકે આવા નળજોડાણ રેગ્યુલર કરવાની પુરી તક આપવામા આવી છે, જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા હસ્તકના જુદા-જુદા ઝોન હેઠળ આવતા વિસ્તારોના જે રહીશો ધ્વારા અને અધિકૃત રીતે નળ કનેકશન લેવામાં આવેલ હોય તેવા તમામ આસામીઓને વખતો-વખત જાણ કરવામાં આવી છે. કે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તા ઠરાવ ક્રમાંક;પરચ/102019/1577/ધ તા.26/08/2020 મુજબ મહાનગરપાલિકામાં સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ ધ્વારા પાણીના અડધા ઈંચની પાઇપના ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોઈ તેવા એકમોને આ યોજના અન્વયે તા.13/12/2020 સુધીમાં આવા ગેરકાયદેસર પાણીના કનેક્શનને કુલ રૂ.500 ની રકમ વસુલ લઇ આવા કનેકશનો મહાનગરપાલિકા ધ્વારા રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા ધ્વારા અન-અધિકૃત નળ કનેકશન (ભૂતિયા) ને રેગ્યુલરાઇઝ કરવા માટે જુદી જુદી કુલ 14 ટીમો બનાવીને શહેરના તમામ વોર્ડમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સર્વે દરમ્યાન જે-જે આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેવા તમામ આસામીઓ ધ્વારા તાત્કાલિક અસરથી કોર્પોરેશનમાં વોટર વર્કસ શાખામાં રૂબરૂ આવીને એક વર્ષ (2020-21) નો પાણી ચાર્જીસ રૂ.1150 તથા રાજય સરકારના ઠરાવ મુજબ રૂ.500 મળીને રૂ.1650 ભરીને અન અધિકૃત નળ કનેક્શન રેગ્યુલરાઇઝ કરાવવા મનપાના વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
…….નહીતો ફોજદારી થશે
તા 31/12/2020 બાદ આવા કોઈ અન-અધિકૃત (ભૂતિયા) નળ કનેક્શન જોવા મળશે અથવા નોટીસ ઇસ્યુ કરેલ હોવા છતાં જો રેગ્યુલરાઇઝ નહિ કરાવવામાં આવેલ હોય તો આવા નળ કનેક્શનને ડીસ-કનેક્ટ કરી પોલીસ ફરિયાદ સુધીના કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા ધ્વારા હાથ ધરવામાં આવશે. આ બાબતે વધુ જાણકારી માટે જયુબેલી ગાર્ડન, જામનગર મહાનગર સેવા સદન, વોટર વર્કસ શાખાના ત્રીજા માળનો સંપર્ક કરવા પણ ઉમેરાયુ છે.