Mysamachar.in-જામનગર
જામનગર શહેરના નાગનાથ ગેટ અંબાજીના ચોકમાં વસવાટ કરતા હર્ષાબેન પ્રફુલ્લભાઈ રાવલ નામની મહિલા પોતાની અન્ય સ્ત્રીમિત્રો સ્વરુપબા જાડેજા, હર્શાબા ગોહિલ, રાણીબેન ગોંડલિયા સાથે મહિલા સામાજિક કાર્યકરો એકબીજા સાથે મળીને કામ કરે છે, એવામાં દોઢેક વર્ષ પહેંલા તેમના જ ગ્રુપના મીનાબેન માવાણીએ નરેન્દ્રમોદી યુવા સંગઠનમાં પોતે જોડાયેલા હોવાની વાત કરી, અને જો તમે પણ જોડાવવા માંગતા હોવ તો તેના રાષ્ટ્રીય પ્રમુખ યુવરાજસિંહ જુન્જીયા નો સંપર્ક કરવાનું કહેલ અને તેના સંપર્કમાં આવેલ…
ત્યારે યુવરાજસિંહે મહિલાઓને જણાવેલ કે આ રાષ્ટ્રીય સંગઠન છે, અને સારી કામગીરીઓ કરે છે, જે અંગેનો પોતે લેટરપેડ અને વોટ્સએપ મારફત મોકલાવેલ અને ફરિયાદી હર્ષાબેનને જામનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે પણ યુવરાજસિંહે નિમણુક આપેલ, જે બાદ યુવરાજસિંહે એક વર્ષ પૂર્વે જણાવેલ કે મોદીજી યુવા સંગઠન મારફત ગરીબ મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન વિતરણ કરાવશે તો તમારા વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓની યાદી બનાવો…અને એક ફોર્મના 250 ઉઘરાવવાનું કહેલ અને જે બાદ ફોર્મ અને પૈસા મહિલાઓ દ્વારા યુવરાજસિંહ ને મોકલવામાં આવેલ જે બાદ સિલાઈ મશીન ક્યારે મળશે તે અંગે પૂછા કરતા યુવરાજસિંહ મળી જશે..મળી જશે નો જવાબ આપતા હતા,
જે બાદ સિલાઈ મશીન પણ ના મળતા અને એક મહિલા દીઠ 250 ની ઉઘરાવી લીધા બાદ ફોન સ્વીચ ઓફ કરી દેતા છેતરપીંડીનો ભોગ બનેલ જામનગરની 294 મહિલાઓએ યુવરાજસિંહ જુંજીયા સામે 73,500 ઉઘરાવી લઇ સિલાઈ મશીન ના આપી છેતરપીંડી વિશ્વાસઘાત કાર્યની પોલીસ ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.