Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે કોરોનાકાળ જ્યારથી શરુ થયો ત્યારથી એવી સલાહ આપવામાં આવી રહી છે કે લોકો ઘર બહાર કામ પૂરતા જ નીકળે તે હિતાવહ છે, પણ જામનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં જ હોવા છતાં પત્રકાર કોરોનાગ્રસ્ત થયા છે, આ કેસમાં એક તબક્કે તબીબો પણ વિચારતા થઇ ગયા હતા…. વાત છે જામનગરની જ્યાં…. જામનગરના સિનિયર જર્નાલીસ્ટ ભરત જી. ભોગાયતા પેટ વગેરે તકલીફના કારણે છેલ્લા આઠ મહિનાથી વર્ક ફ્રોમ હોમ કરે છે.
તેમનો કોરોના પોઝીટીવ થતા પરિવારજનો સ્વજનો ડોક્ટરો મિડીયા મિત્રો સૌને આશ્ચર્ય થયુ છે તેમજ ચિંતા પણ ઉપજાવે તેવો કિસ્સો બન્યો છે, આ સમાચાર મળતા લોકસભાના સત્રમા વ્યસ્ત સાંસદ પૂનમબેન માડમ એ ચિંતા કરી તેમજ ભરતભાઈ ને તેમના પરિવારજનોને માનસીક મજબુતી માટે પ્રોત્સાહન આપી કાળજી લેવા માર્ગદર્શન આપ્યુ તેમજ જી.જી.એચની કોવિડ હોસ્પીટલના નિષ્ણાંત તેમજ સિનીયર ડોક્ટરો સાથે રિપોર્ટસ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જાણી જરૂરી ભલામણ કરી છે તેમજ ભરતભાઇને આત્મવિશ્વાસ વધે તેમ હિંમત પુરી પાડી છે,
ભરતભાઇ બે દાયકાથી વધુ સમયથી પત્રકાર હોઇ જામનગરથી માંડી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મુબઇ સહિતના પત્રકાર મિત્રો તેમજ અન્ય તબીબો અને સરકારી કર્મચારીઓ મિત્રો ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ માહતી ખાતાના મિત્રો નિવૃત અધીકારીઓ કર્મચારીઓ કોલેજ મિત્રો સહિત દરેક ક્ષેત્રના તેમના જાણીતા તબિયત પુછી ફોનથી મેસેજથી ગેટ વેલસુનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, જાણવા મળ્યા મુજબ જામનગરની સરકારી જી.જી હોસ્પીટલના તબીબો પણ દર ત્રણચાર કલાકે ઓક્સીજન લેવલ ટેમ્પરેચર પેઇન ઉધરસ વગેરેની વિગત લઇ રહ્યા છે અને હાલ તો હોમ ક્વોરોન્ટાઇન છે.