Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ નાના એવા ઠેબા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પિતા પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.ખેતીકામ કરતા ખેડુત પિતા પુત્રએ પોતાની વાડીમાં ઝેરી જંતુનાશક દવા પી લેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઝેરી દવા પીનાર પિતા-પુત્ર પૈકી પિતા ગણેશભાઈ સંઘાણી ઉ.વ. 70 નું મુત્યુ થયું છે અને પુત્ર હર્ષદ સંઘાણી ઉ.વ.39ની હાલ સારવાર ચાલી રહી છે.હવે પિતા પુત્રએ ક્યાં સંજોગોમાં આવું પગલું ભર્યું તેની તપાસનો ધમધમાટ પંચકોશી એ ડીવીઝન પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યો છે.