Mysamachar.in:જામનગર
આજના સમયમાં ટીવી અને સ્માર્ટફોનનું ઘેલું યુવાઓમાં ગજબનું લાગ્યું છે.,મોડીરાત્રી સુધી ટીવી અને મોબાઈલનો વપરાશ સામાન્ય બાબત બનવા લાગી છે તેવામાં ઘરના કોઈ સભ્યો આ અંગે ટોકે તો પણ આજના યુવાઓને પસંદ નથી તેવી એક ચોકાવનારી ઘટના જામનગર જીલ્લાના લાલપુરના પીપરટોડા ગામે સામે આવી છે. જ્યાં માતા પિતા અને મામાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા તરુણીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
જામનગરના લાલપુરના પીપરટોડા ગામે મામાના ઘરે વેકેશન માટે સુરતથી આવેલી જેનીસા પંકજભાઇ અભંગી (ઉ.વ.13) નામની તરૂણીનું બે દિવસ પહેલા મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું હતું, જે બાદ પોસ્ટમોર્ટમમાં તેણીએ ગળાફાંસો ખાધો હોવાનું બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગત તા.26ના રોજ સાંજના 8 વાગ્યના સુમારે જેનીસાને માતા-પિતા અને મામાએ આખો દિવસ મોબાઇલ અને ટીવી જોવા બાબતે અને ઘરમાં કામકાજ કરતી ન હોય તે બાબતે ઠપકો આપતા જેનીસા જે જીદી સ્વભાવની હોય તેને મનમાં લાગી આવતા ઘરની છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.