Mysamachar.in-જામનગર
હાલ એક તો કોરોના સમયમા ક્યાક માસ્ક કે સેનેટાઇઝર કોઇ ડોનર (કોક કેસમા જ સ્વ ખર્ચ થયો) કે કોઇ કોન્ટ્રાક્ટર કે અધીકારીઓને ધુંબા મારી જેવા તેવા વિતરણ કર્યા ખરેખર હાલ પ્રજા ભયભીત છે કોરોનાની ગંભીરતાથી અજાણ પણ ઘણા છે ઘણા રોગના શિકાર છે તેમના પરિવારો ડામાડોળ છે આ સમયમા સરકારી સહાય સુવિધા અને જરૂરી વસ્તુની પ્રજા માટે છે, સરકારની ગાઇડલાઇન પણ છે તે તમામ માટે ઘેર ઘેર કે વિસ્તારોમા જઇ કે હોસ્પીટલના અહેવાલ મેળવી તમામ જરૂરિયાતમંદને હોંસલો આપવો સાંત્વના આપવી કોન્ફીડન્સ આપવો સમજણ આપવી માર્ગદર્શન આપવુ ને રીલેટેડ બધી જ સુખાકારીના કામ કરાવા વગેરે શાસક વિપક્ષ તમામે ચુંટાયેલ કે સંગઠને દરેક સભ્યએ વ્યાપક રીતે કઈક કરવાની જરૂર હતી તે વ્યાપક ન થયુ હજુ જરૂરી છે અતિ આવશ્યક છે છતાય સ્થાનિક સ્વરાજ્યના તમામની કે તેમના તમામ ઉપરીઓની સંવેદના જાગતિ જ નથી એથી પ્રજાએ ગંભીર નોંધ લીધી છે,
માત્ર મઠારેલા અને એ પણ પ્રજાના પૈસે બનાવેલા જુજ સેવા કાર્યોના આકર્ષક પ્રેઝન્ટેશન કે પ્રિન્ટીંગ એ સંવેદના નથી એ તો મેં કર્યુ એની હોડ છે દેખાવ છે એનાથી પ્રજાનુ ભલુ થયુ નથી તેમ રોગગ્રસ્તો તેમજ તેમના પરિવારોનો અભિપ્રાય છે કેમકે ઘણા ખરાતો સારવાર નથી લઇ શકતા અમુક સમયસર સારવાર નથી લઇ શકતા હજુય લોકો માનસિક ભયમા છે તે તમામને પ્રજાસેવકોની હુફની જરૂર હતી અને છે પરંતુ સીમ્પથી મેળવવાની તક પણ મોટા ભાગના સેવકો અને સંગઠનના મોટાભાગના જવાબદારોએ ગુમાવી માત્ર આરંભે શુરા થયા હતા હાલ હવે ખરેખર રાશન દવા તેમજ પ્રતિકારત્મક સાધનોના વિતરણની જરૂર છે જે અમુકએ જ હાથ ધરી નહિ તો આટલા નગર સેવકો હોય સંગઠન મોટુ હોય તે તમામ માત્ર પ્રચાર પુરતા પ્રતિકાત્મક કામ કરી ઝડપથી પ્રચાર કરવાના બદલે પ્રજા પડખે જ સતત રહે તો પ્રચાર તો પ્રજા જ કરી આપશે.
પરંતુ આ સંવેદનાની અતિ જરૂરના સમયે જામનગર સ્થાનિક સ્વરાજ્યના સૌ સેવકોને સંગઠનના તમામ દ્વારા સો ટકા કામ ન થયુ તેનો પ્રજામા રોષભેર ગણગણાટ હજુ સંભળાય છે અને એકધારી તમામ જરૂરી બાબતે પ્રજા પાસે કન્ટીન્યુ જવાનિ જરૂર છે જુજ કીટ કે માસ્ક વિતરણ પુરતા નથી કેમકે અડધો અડધ વસતી રોગચાળાની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણી ખરાબ ઇફેક્ટ હેઠળ છે તેમને માટે માત્ર સેવા વિશે બોલવા કરતા મળતુ જ રહેવુ તેમ પણ ચર્ચા સાથે ટીકા થાય છે તે સાંભળવા મળે છે આમા પછી પ્રજા ચુંટણી વખતે છુપો રોષ દર્શાવે તો પણ નવાઇ નહી તેમ માનનારો પણ મોટો વર્ગ છે.