Mysamachar.in-જામનગર:
જામનગરના એરપોર્ટ નજીક આવેલ સ્વામીનારાયણ કોવીડ હોસ્પીટલમાં બે દિવસ પૂર્વે એસડીએમ આસ્થા ડાંગર DYSP સહિત્તની ટીમ દ્વારા આ હોસ્પીટલમાં અંદાજે 3 કલાક જેટલો સમય સુધી એક એક રેકોર્ડની તપાસ કરી અને પ્રાથમિક માહિતી બહાર આવી હતી અને એસડીએમ જણાવ્યું હતું તે પ્રમાણે હોસ્પિટલ દ્વારા રેકોર્ડમાં શૂન્ય રેમડેસીવીર ઇન્જેક્શન બતાવતા હતા જયારે સ્ટોકની તપાસણી કરવામાં આવી તો 22 જેટલા ઇન્જેકશનો હોસ્પીટલમાં સ્ટોકમાં હોવાનું સામે આવ્યું હતું અને પ્રાથમિક એવું પણ સામે આવ્યું હતું કે અમુક મૃત અને ડીસ્ચાર્જ દર્દીઓને નામે પણ ઇન્જેક્શન લેવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે એસડીએમ બાદ આગળના પગલા ભરવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની હતી પણ તેના દ્વારા આ અંગે થવી જોઈતી કોઈ જ કાર્યવાહી ના થતા આ કેસમાં દાખલો બેસાડવા અંતે એસ.પી.દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કુનાલ દેસાઈની સુચનાથી પીએસઆઈ સી.એમ.કાંટેલિયાની રૂબરૂ સરકાર તરફે પોલીસે એટલે કે પંચકોશી બી ડીવીઝનના એ.એસ.આઈ. કરણસિંહ જાડેજાએ આ કેસમાં જાતે જ ફરિયાદી બની આ મામલે વિધિવત રીતે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યો છે,
જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇજેક્શનની ફાળવણીના નોડલ અધિકારી આસ્થાબેન ડાંગરએ એરપોર્ટ નજીક આવેલ સ્વામિનારાયણ કોવીડ હોસ્પીટલની લીધેલ વિઝીટ દરમ્યાન કરેલ રોજકામ તથા તપાસના કાગળો સાથેની માહિતી માંગતા જે સામે આવેલ માહિતીમાં શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલ જામનગરના જવાબદાર ડોક્ટર કે.ડી. કારીયાનું લેવામાં આવેલ નીવેદન તેમજ હોસ્પીટલના ઇન્ડેન્ટપત્ર સહિતના રેકોર્ડની ખરાઈ બાદ સામે આવ્યું કે શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલ જામનગર ખાતે સતાવીસ એપ્રિલના રોજ કોરોના દર્દી રામચંદ મોહનલાલ મુલાણી દાખલ થયેલ અને તેઓનું હોસ્પીટલ ખાતે ત્રણ મેં ના રોજ મરણ ગયેલ તેમ છતા આ દર્દીના નામે તારીખ ચારથી છ ના સમયગાળામાં રોજ રેમડેસીવિર ઇજેકશનની માંગણી કરેલ હોવાનું તેમજ બીજા દર્દીઓ ડીસ્ચાર્જ થયા બાદ પણ તેમના નામે રેમડેસીવિર ઇજેશનની માંગણી કરેલ…
હોસ્પિટલ તંત્ર દ્વારા ઇડેન્ટ ફોર્મમાં રેમડેસીવિર ઇજેકશનનો હાથ ઉપરનો સ્ટોક નીલ બતાવેલ પરંતુ સંબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જામનગર અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇજેકશનની ફાળવણીના નોડલ અધિકારીની સ્થળ તપાસ દરમ્યાન બાવીસ રેમડેસીવિર ઇજેક્શન હોસ્પીટલ ખાતે સ્ટોકમાં હોવાનું જણાય આવેલ હતું અને હાલ કોરોના મહામારી સમયમા રેમડેસીવીર ઈજેકશનની આવશ્યક ચીજવસ્તુ હેઠળ ગણવામાં આવેલ હોય તેમ છતા હોસ્પીટલના જવાબદાર ડોક્ટર કે.ડી. કારીયાએ રેમડેસીવિર ઇજેક્શન મેળવવા એસડીએમ સમક્ષ ખોટી માહિતી રજુ કરેલ હોય આમ અંતે શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલના જવાબદાર ડોક્ટર કે.ડી.કારીયા તથા તપાસમાં ખુલે તે વ્યક્તિઓ વિરૂધ્ધ ઇપીકો કલમ 177 તથા ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-55 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ-3-7 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. અને આ કેસની આ વધુ તપાસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા કરી રહ્યા છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે આ પ્રકરણ પર ધૂળ નાખી દેવાના કેટલાય પ્રયાસો થયા હતા પણ અંતે અધિકારીઓ ધારે તો બધું જ કરી શકે તે આ કિસ્સામાં કરી બતાવ્યું અને મનપા ફરિયાદ માટે આગળ ના આવતા પોલીસે સુઓમોટો દાખલ કરી અને પોતે જ ફરિયાદી બની આ મામલે ગુન્હો નોંધતા પોલીસ અને વહીવટીતંત્રની ટીમની ચોમેર પ્રશંશા થઇ રહી છે.