Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પુરવઠા કચેરીની કલા કારીગીરી ખુબ જ પંકાયેલી છે, અને આમ તો કોઇ ને દાદ ન દે પરંતુ RTI હેઠળ પણ વિગત મંગાય તો વિગત આપવામા પણ ખુબ તકેદારી રાખ્યાનુ અરજદારે જણાવ્યુ છે, છેલ્લા એક વર્ષમા કે બે વર્ષમા રેશનકાર્ડ ધારકોની થોકબંધ ફરિયાદો આવી જ હોય તે દેખીતુ છે. પરંતુ માહિતી હેઠળ અરજદાર કલ્પેશ આશાણીને ગુલાબનગરના વોર્ડધારક ગોસ્વામીની દુકાન સામે થયેલી ફરિયાદ અંગેના રોજકામની પત્રની તપાસની વિગત દર્શાવાઇ જેમા પુરેપુરી રીતે વોર્ડ ધારકની તરફેણ થયાનુ સ્પષ્ટ થાય છે નહી તો વોર્ડ જેમના નામનો છે તેમના પુત્ર વોર્ડ ચલાવે છે જેનો પુરવઠા તંત્રને વાંધો જ નથી? તો તેના નામનો પરવાનો આપી દો ને? અને કોઇ સરકારી સસ્તા અનાજની દુકાન નુ રોજકામ થાય તેમા પરવાનેદારના બદલે બીજા કોઇની સહી કેમ ચાલે? પુરવઠા તંત્ર જવાબ આપશે?
વળી અરજદારે તો સમગ્ર શહેર જિલ્લાની જે ફરિયાદો વોર્ડની આવી હોય તે માંગેલી તેની સામે એકજ વોર્ડની એ પણ ક્લીનચીટ આપેલી માહિતી જ શા માટે પુરી પાડી? બીજી માહિતીઓ કેમ છુપાવી? તેમજ આ ગુલાબનગરના વોર્ડની અનેક અનિયમિતતાઓ (તંત્ર એ નોંધ્યુ છે 90 ટકા માલ વિતરણ થયુ છે તો દસ ટકાનુ શુ થયુ?) અંગે ફરિયાદ કરનાર અરજદારને પુરવઠા સ્ટાફે ફોન કર્યા તો ઉપાડ્યા નહી તેથી તેનુ નિવેદન લેવાયુ નહી તેમ સરકારી કાગળમા લખેલ છે તો જ્યારે કોઇ અરજી કરે તેમા વિગત આપે છે પુરવઠાએ તો તેના પરથી તપાસ કરવાની છે અને ફરીથી નિવેદન લેવાની શુ જરૂર છે?
ઉપરાંત આ વોર્ડ સામે ફરિયાદ અરજીઓ થવા છતા ઠોસ પગલા ન લઇ પુરવઠા છાવરે છે માટે તો અરજદારે સચિવને છે…ક અરજી કરવી પડી હતી તે ગંભીરતા પણ ધ્યાને લેવી ઘટે છે, તેમજ અનેક વોર્ડની ફરિયાદો છે છતા ક્યાય તપાસ થઇ કે શુ? વગેરે ઘણુ છુપાવી માત્ર એક વોર્ડને ક્લીનચીટ આપી તે માહિતી આપવાનો થનગનાટ એ પુરવઠા સ્ટાફ અને અધીકારીની કઇક મેલી મુરાદ દર્શાવે છે?તેમ જાણકારો શંકા કરી આક્ષેપ કરે છે કે કઇક લાભ હશે નહિતો તંત્ર રીતસરની તરફેણ શા માટે કરે?