Mysamachar.in-જામનગર:
છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન રાજયભરના મોટા શહેરોમાં (મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારોમાં) ઓમીકોન અને કોરોનાનું સંકમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજયમાં વિવિધ શહેરોની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિધાર્થીઓ પણ સંકમિત થઈ રહ્યા છે. હાલમાં ભારતનાં વિવિધ રાજયોમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગીત કરવામાં આવેલ છે. ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરી શકે નહીં પરિણામે બાળકો સંકમિત થાય. આ સ્થિતિમાં પ્રાથમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શિક્ષકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તા.10 જાન્યુઆરી 2022 થી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવા યોગ્ય વિચારણા કરવા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.