Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ નજીક એક અકસ્માતની ઘટના સવારે સામે આવી છે, કાલાવડથી જામનગર તરફ ખંઢેરા ગામ પાસે પુલ પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો જેમાં એસટી બસના ડ્રાઈવર સહીત કુલ ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જો કે સદનસીબે મોટી જાનહાની ટળી જવા પામી છે.