Mysamachar.in-જામનગર
આજે જયારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપના જુદા જુદા વિસ્તારના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોચ્યા ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહી અને ઉમેદવારોનો જુસ્સો વધાર્યો હતો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ Mysamachar.in સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે ભાજપે જામનગર માટે 64 ઉમેદવારો જાહેર કરી દીધા પણ કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી માટે તે હજુ સુધી જાહેર કરી શક્યા નથી. અમને વિશ્વાસ છે કે ભાજપ જામનગરમાં કુલ 64માં થી 50 થી વધુ સીટો સાથે મનપા પર કબજો કરી અને ભગવો લહેરાવશે…તો ટીકીટ ફાળવણીમાં પણ દરેક સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને નવા યુવાઓને તક આપવામાં આવી હોય લોકોનો જનાદેશ વધુ એક વખત ભાજપને ફાળે રહેશે તેમ તેવોએ વાતચીતના અંતે જણાવ્યું.