Mysamachar.in-જામનગર:
હાલના સમયમાં સરકાર દ્વારા ગરીબ લોકો તથા મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારી જેવી કે કેન્સર, હદયરોગ, હાડકામાં ઈજા, પેસાબમાં તકલીફ, ટીબી, કેન્સરના શેક ડોઝ વગેરે જીવલેણ બીમારીમાં સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર લેવાની હોય તો તેમના માટે “પ્રધાનમંત્રી આયષ્યમાન કાર્ડ” ફરજીયાત કરેલ છે. આ કાર્ડ કઢાવવા માટે માણસો જરૂરી તમામ કાગળો એકઠા કરી અને કાર્ડ બનાવવામાં રૂચી દાખવે છે.
હાલની આ બેરોજગારી તથા કોરોના સમય વિત્યા પછી લોકોમાં બિમારીઓ વધી છે. અને દરેકે દરેક ઘર અને કુટુંબમાં બિમારીના ખાટલા છે. હાલની સ્થીતી એ જે પરીવારોને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું થાય છે તે પરિવાર તમામ કાગળો મેળવી અને જયારે આયુષ્યમાન કાર્ડ કાઢતી ઓફીસ પર જાય છે ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસ થી ટેકનીકલ ખામી હોવાનું જણાવી તમામ લાભાર્થીઓને પાછા મોકલવામાં આવે છે. અગાઉ પણ આજ ખામીના કારણે દોઢ મહિના સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી બંધ થયેલ હતી. કહેવાતી આ સંવેદનશીલ સરકાર શુ ફકત મહોત્સવ અને ફોટા પડાવવમાં જ રસ ધરાવે છે? ગરીબ લોકો સારવારના અભાવે હેરાન થાય તેનાથી સરકારને કોઈ મતલબ જ નથી? તેવો વેધક સેવલ ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમે ઉઠાવ્યો છે,
જે લોકો બિમારીમાં ખાટલે પડયા છે અને તેમને સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની જરૂરીયાત છે તેવા દર્દીઓ પણ ઓનલાઈન સીસ્ટમમાં થી એરર દુર થવાની રાહ જોઈ રહયા છે. આવી ટેકનીકલ ખામીના કારણે ઘણી વાર એવુ પણ બન્યુ છે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળવાને લીધે દર્દીઓને ઘણી ખોટ ખાપણ રહી જાય છે ઘણા કિસ્સામાં સારવારના અભાવે દર્દી મૃત્યુ પણ પામે છે. અવાર-નવારની આવી ટેકનીકલ ખામી ને કારણે સામાન્ય નાગરીકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે તાત્કાલીક ઘટતી કાર્યવાહી કરી આ ઓનલાઈન સીસ્ટમ વ્યવસ્થીત ચાલુ કરી લોકોની પીડા દુર કરવા ધારાસભ્ય વિક્રમ માડમેં રાજ્યના આરોગ્ય મંત્રીને પ્રજાહિતમાં પત્ર લખી રજૂઆત કરી છે.