Mysamachar.in-જામનગર
આજથી જામનગર આરટીઓ વિભાગ દ્વારા 32માં માર્ગ સલામતી માસનો પ્રારંભ કલેકટર રવિશંકરને હસ્તે કરવામાં આવ્યો છે, માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી વાહનચાલકોને જાગૃત કરી અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ કેવી રીતે ઓછું કરી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમ આરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું. તો આ તકે કલેકટર રવિશંકરે પણ લોકોને અનુરોધ કરતા કહ્યું કે માર્ગ સલામતીના નિયમોનું લોકો ચુસ્તપણે પાલન કરે અને પોતાની જિંદગીને બચાવે તે અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકર, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, DDO ડો.વિપિન ગર્ગ, DYSP કુણાલ દેસાઈ હાજર રહ્યા હતા.
– માર્ગ અકસ્માત આ વિગતો પણ રસપ્રદ છે..
– ભારતમાં પ્રતિ વર્ષ 4,49,002, અને પ્રતિ દિન 1,230, માર્ગ અકસ્માતો થાય છે,
– જયારે ગુજરાતમાં પ્રતિવર્ષ 17,086 જયારે પ્રતિદિન 47 અકસ્માતોની ઘટના બને છે,
– માર્ગ અકસ્માત મૃત્યુ પ્રતિ વર્ષ ભારતમાં 1,51,113, 7,390 અને પ્રતિ દિન 414
– જયારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ગુજરાતમાં પ્રતિવર્ષ 7390 અને પ્રતિદિન 20 થાય છે.
ભારતમાં સરેરાશ પ્રતિ મિનીટ 1 અકસ્માત અને પ્રતિ 4 મિનીટ 1 મૃત્યુ થાય છે, જેમાં ઉત્તરોતર ઘટાડો થયો છે અને હજુ પણ તેમાં ઘટાડો થાય તેવી કામગીરી સરકાર કક્ષાએથી કરવામાં આવી રહી છે.
માર્ગ સલામતી “VISION ZERO” વ્યરચનાને અનુલક્ષીને 2030 સુધીમાં માર્ગ અકસ્માત અને તેમાં થતા મૃત્યુનું પ્રમાણ 50% ઘટાડો કરીને માર્ગ ઉપભોગતાઓની સલામતી સુનિશ્ચિત કરાવી તે ગુજરાત રાજ્ય રોડ સેફટી ઓથોરીટીનો મુખ્ય ધ્યેય છે.
– માર્ગ અકસ્માતમાં 5 E જેના દ્વારા “VISION ZERO” ધ્યેય હાંસલ કરી શકાય,
E:એન્જિનિયરિંગ ઓફ રોડ (એનએચએઆઈ, આર એન્ડ બી, મ્યુનિસિપલ કોર્પોરેશન)
E: એન્ફોરસમેન્ટ(પોલિશ અને આરટીઓ)
E:ઇમરજન્સી કેર (108 અને મેડિકલ હોસ્પિટલ)
E: શિક્ષણ(ડીઇઓ અને ડીપીઇઓ અને આરટીઓ અને ટ્રાફિક પોલીશ)
E: એફએક્ટીવ કુર્ડીનેશન (કલેક્ટર કચેરી અને ઉપરોક્ત તમામ વિભાગ)
– માર્ગ અકસ્માતના મુખ્ય કારણો:
– માનવ ભૂલ, બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન
– ગતિ મર્યાદાનો ભંગ
– રોડ સાઈનેઝીસનો અભાવ (ખાસ કરીને સ્પીડ બ્રેકર પર)
– ખાડા/ભુવા
– અયોગ્ય તીવ્ર વળાંક
– હાઇવે મુખ્ય માર્ગોને સમાંતર આવેલ water bodies ઉપર સુરક્ષા પાળીનો પ્રભાવ
– ગેર કાયદેસર Gap
– નાના માર્ગે જ્યાં મુખ્ય માર્ગને મળતા હોય ત્યાં TraffiC calming ના પગલાનો પ્રભાવ
– માર્ગ ઉપર મરામત. માર્ગનું વિસ્તરણ, પાઈપલાઈન નાખવા જેવા વિવિધ કામો દરમિયાન વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનને અનુસાર યોગ્ય ડાયવર્ઝન અને સાઈનેઝીસનો અભાવ