My samachar.in:-જામનગર
જામનગર શહેરના ભંગાર બજારની સામે આકાશગંગા કોમ્પલેક્ષ બ્લોક નં-એ-7માં વસવાટ કરતા અને સોનીકામ કરતા કિરીટભાઇ મહેન્દ્રભાઇ રાધનપુરાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ઇકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઇ ખીરા રહે. બન્ને જામનગર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે કે આ બન્ને શખ્સોએ પોતાનુ મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડલોનમાં 291 ગ્રામ સોનુ ગીરવે પડેલ હોય તે છોડાવવા માટે ફરિયાદી કિરીટભાઈને રૂપીયા ભરી સોનુ છોડાવી કમીશન આપવાની વાત કરી કિરીટભાઈને વિશ્વાસમાં લઇ તેવો સહમત થતા ફરીયાદીએ ઇકબાલ ખીરાના ICICI ના બેન્ક એકાઉન્ટ 777701831988 માં રોકડા રૂ-8,00,000/-જમા કરાવતા..
જે રૂપીયા મુથુટ ફાઇનાન્સ માં RTGS થી ટ્રાન્સફર કરાવી ઇકબાલભાઇને સોનુ છોડાવી ફરીયાદીને આપવાનુ હતુ પરંતુ તેના બદલે આરોપી ઇકબાલભાઇએ કટકે કટકે પોતાની પ્રીન્સ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ મોબાઇલની પેઢીના એકાઉન્ટ નં- 020505503979માં ટ્રાન્સફર કરાવી લેતા ફરિયાદી કિરીટભાઈને જાણ થતા તેને આરોપી ઇકબાલભાઇ તેમજ વસીમભાઇનો કોન્ટેક કરતા આરોપીઓએ કહેલ કે હવે અમારા ખાતામાં રૂપીયા જમા થઇ ગયેલ છે તમારે જે થાય તે કરી લો રૂપીયા પરત નહી મળે તેમ કહી આરોપીઓએ રૂપીયા 8,00,000/- પરત ન આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.વી.હરિયાણી વધુ તપાસ ચલાવે છે.