જામનગર:દેવભૂમિ દ્વારકા:
કોરોના વાયરસને લઈને લોકડાઉન ના તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ અનલોક નો તબક્કો ચાલી રહ્યો છે, સ્વાભાવિક છે કે શાળાઓ બંધ હતી અને હજુ પણ બંધ છે, પણ અમુક ખાનગી શાળાઓના સંચાલકોને સલામ કરવી પડે જેને પોતાના શિક્ષકોના ઘરના પરિસ્થિતિ સમજી અને આખો અથવા તો થોડું ઘણું કાપ કૂપ કરીને પગાર ચૂકવી દીધો છે, પણ અમુક સંચાલકોને ભેગું કરવામાં રસ છે, દેવામાં રસ નથી…તેમ શિક્ષકોના શોષણ ના થોડા કિસ્સાઓ સામે આવ્યા છે, જો કે આ શિક્ષકો મજબુરીમાં પણ શાળાઓમાં ફરજ બજાવવા ઈચ્છે છે માટે તેના નામો જાહેર કરી શકાય તેમ નથી,
જામનગરમા એક તરફ ગલીએ ખાંચે નાનીમોટી મધ્યમ ખાનગી સ્કુલો ખુલી ગઇ છે તો મસમોટા બીલ્ડીંગ વાળી પણ અનેક સ્કુલો શિક્ષણને બદલે કમાવાના કારખાના બન્યા છે ત્યારે નાના મધ્યમ વગેરે પગાર વાળા એક હજારથી વધુ ભાઇઓ બહેનો જેઓ કોઇ પરણીત કોઇ અપરણીત કોઇ શૈક્ષણીક કોઇ બિન શૈક્ષણિક કોઇ ક્વોલીફાઇડ કોઇ અન્ડર ક્વોલીફાઇડ વગેરે પ્રકારના છે તેમાંથી મોટાભાગનાઓ ને ગત માંર્ચ બાદ પગાર મળ્યા નથી માત્ર પ્રતિષ્ઠીત ટ્રસ્ટીઓ વાળી શાળાઓ અને અમુક શાળાઓના સંચાલકો જેને હૈયે શિક્ષકોનું હિત છે તેને તેમના સ્ટાફને પગાર ચુકવવાનુ ચાલુ રાખ્યુ છે,
એ સિવાય મોટાભાગની શાળાઓના સ્ટાફને પગાર ન મળતા ક્યાય પુરો પગાર ન મળતા ક્યાક તો નોકરી જ જોખમમા મુકાયાનુ વગેરે બાબતો સામે આવી છે અમુક ખાનગી શાળાઓના સંચાલકોની જાહોજહાલી હોવા છતા સ્ટાફને પગાર ના બદલે બહાના આપે છે ત્યારે બે હજાર અઢી હજાર ત્રણ કે સાડાત્રણ હજાર ચાર કે સાડાચાર હજાર પાંચ કે સાડાપાંચ કે છ હજાર કે સાત હજાર જેવા સામાન્ય પગાર વાળા આવી શાળાઓનુ ઘરનુ બજેટ ખોરવાયુ છે કેમકે ઘરના બીજા સભ્યો પણ લોકડાઉન મા ઘરે બેઠા હતા તેઓ દરેક ના કે પતિ પત્નિ ની આવકના આધારે પોતાનુ બાળકોનુ વડીલો નુ ગુજરાન ચાલતુ હોય તેવા અનેક પરિવારની કરૂણતા ભરેલી સ્થિતિ થઇ હોવાના જામનગરમા અનેક દાખલાઓ જોવા મળે છે,
ઉપરથી શાળાઓ એ વિદ્યાર્થીઓની ફી લેવી છે તે માટે અનેક કારસાઓ અજમાવે છે પાઠ્ય પુસ્તક યુનિફોર્મ સ્ટેશનરી લેવા ફી ભરવા વગેરે સુચનાઓ તો અવિરયત આપતા જાય છે ત્યારે શાળા તો બંધ છે તો પણ એડવાન્સ ફી માટેના દબાણ થી વાલીઓ મુંઝાણા છે, આમ સ્ટાફનુ ય શોષણ અને વાલીઓના શોષણ કરતી અમુક ખાનગી શાળાઓ સામે નૈતિક રીતે કોઇ સતાવાળાઓ પગલા લે કે ના લે પણ કુદરતનો ડર દરેકે રાખવો રહ્યો.