Mysamachar.in-જામનગર:
લોકડાઉને બંધાણીઓ માટે ભારે કરી છે, છતાં બંધાણીઓ પોતાની આદત છોડવાને બદલે બે ત્રણ ગણા ભાવો આપીને વ્યસનો પુરા કરી રહ્યા છે, એવામાં આજે જામનગર શહેરના કાલાવડનાકા બહાર આવેલ કલ્યાણ ચોક નજીક આવેલ હોલસેલ તમાકુની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે, બજરંગકૃપા સેલ્સ એજન્સી નામની દુકાનમાથી તસ્કરોએ બાકોરૂ પાડી તમાકુ, સોપારી, ગુટખા સહિતનો મુદ્દામાલ ચોરી ગયાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે. કેટલા રૂપિયાના મુદામાલની ચોરી થઇ તે હજુ સામે આવી શક્યું નથી.