Mysamachar.in-જામનગર
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે, તેમાં પણ વધુ કેસો જામનગર શહેરમાં સામે આવી રહ્યા છે, તાજેતરમાં જ જામનગરની ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા જામનગરની ગ્રેઇન માર્કેટ સવારે 9 થી 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિણર્ય લીધા બાદ ગઈકાલે મોટાઉપાડે જામનગર સુવર્ણકાર એસોસીએશન દ્વારા જામનગરમાં આવેલ ચાંદીબજાર સોનીબજાર સહિતની બજારો બંધ રાખવાનો નિણર્ય તો જાહેર કરી દીધો પણ નિર્ણય કર્યા બાદ તમામ વેપારીઓને વિશ્વાસમાં ના લેવામાં આવ્યા હોય અને બે જૂથ ને કારણે આંતરિક જૂથબંધી સપાટી પર આવી હોય તેમ એક ગ્રુપ દ્વારા આખા દિવસ બંધને સમર્થન જયારે બીજાગ્રુપ દ્વારા વિરોધનો સુર ઉઠાવી અને જો બંધ કરવું હોય તો સવારે 9 થી 2 દુકાનો ખુલ્લી રાખવી જોઈએ તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે, આમ વેપારીઓમાં કેવી એકતા તે સામે આવ્યું છે, જો કે ગઈકાલે સુવર્ણકાર ઉદ્યોગ એસોસીએશન દ્વારા કરવમાં આવેલ બજારો બંધની જાહેરાતને આજે સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો અને મોટાભાગની બજાર ખુલ્લી જોવા મળી હતી.