Mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં હાજર બિલ્ડર પર 2 બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા સામાપક્ષે બિલ્ડરે પણ પોતાના બચાવમાં ફાયરીંગ કરતા આવેલ શખ્સો નાશી છૂટ્યા બાદ જામનગર એસ.પી.શરદ સિંઘલ ની રાહબરી હેઠળ એલસીબી દ્વારા આ ગુન્હાનો ભેદ ઉકેલવા પી.આઈ.જલુના માર્ગદર્શનમાં સઘન તપાસ કરવામાં આવી રહી હતી અને મહત્વની કડીઓ પણ મળી ચુકી હતી, જો કે અમદાવાદ એટીએસની ટીમે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે,અને જામનગર એલસીબીએ ત્રણેય શખ્સોનો કબજો સાંભળી લીધો હોય હવે તેને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
લાલપુર બાયપાસ નજીક નિર્માણધીન કન્સ્ટ્રકશન સાઈટ પર બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગના મામલે જામનગરના જ કુખ્યાત જયેશ પટેલ અને ફાયરીંગ કરનાર તેના ત્રણેય ભાડુતી માણસો સામે હત્યા પ્રયાસ અને આર્મસ એક્ટ સહિત ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી, અને એસ.પી.શરદ સિંઘલ દ્વારા આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવતા એલસીબીએ આ ગુન્હાની તમામ કડીઓ મેળવી લીધી હતી,
ત્યારે જામનગર એલસીબીને જે શખ્સો સુધી પહોચવાની માત્ર તૈયારી હતી તે તમામ ત્રણેય સુત્રાપાડાનો સંજય બારડ અને હિતેશ ઉર્ફે હિતુભા ઝાલા અને ધોરાજીનો પ્રવીણ ઉર્ફે ટકો આ ત્રણેય શખ્સોને એટીએસ અમદાવાદ દ્વારા ઝડપી પાડવામા આવ્યા છે, જો કે જયેશ પટેલે આ લોકોને કેટલા રૂપિયાની સોપારી આપી હતી તે હજુ સુધી જાહેર થયું નથી.હાલ એલસીબી આ ત્રણેય શખ્સોનો કબજો મેળવી અને રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી રહી છે.