Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો વાવાઝોડાની આગાહી આવી ત્યારથી વીજધાંધીયા થી પરેશાનીમા મુકાયા છે તે પરેશાની હજુ ચાલુ જ છે અને વીજ વિભાગ તો તેની મસ્તીમાં જ પડ્યુ છે ત્યારે વારંવાર વીજફોલ્ટ થાય છે કે પછી કોઇને કમાવી દેવાનુ કારસ્તાન છે? તેવો સવાલ વ્યાપક રીતે ઉઠ્યો છે હજુ વાવાઝોડુ તો બાકી છે તો અત્યારથી પરેશાની છે ત્યારે શુ થશે?તે પ્લાનમાં છે??? કેમકે લોકોને તો લાઇટ ગઇ એટલી જ ખબર હોઇ ટેકનીકલી શુ થયુ તે તો ખ્યાલ જ ન આવે દરમ્યાન જાણકારોના મતે ટ્રાન્સફોર્મરો, વાયરો, સ્વીચો, બોર્ડ, ફ્યુઝ, પેટી વગેરે બદલાવ્યાનુ નોંધાય છે તેમાંથી દર વખતે તે બદલવાની જરૂર નથી હોતી અથવા તો સામાન્ય રીપેરીંગ થી પણ કામ સારૂ થઇ શકતુ હોય છે.
પરંતુ સ્ટોકમા ઉધારાય તે માટે આ ફોલ્ટ કે કાપ અમુક વખતે માનવ સર્જીત હોવાનુ જાણકારો કહે છે. ગઈકાલે પણ થયું એવું જ કે જામનગર શહેરમાં માત્ર આઠ મીમી વરસાદ નોંધાયો અને તે પણ કટકે કટકે તો પણ PGVCLની કામગીરી દેખાઈ એટલા માટે આવી કે કેટલાય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહી….અરે PGVCLના મીડિયા ગ્રુપમાં તમામ અધિકારીઓ છે જેમાં જીલ્લાના પત્રકારો દ્વારા થઇ રહેલ ફરિયાદો જોઈ રહ્યા હતા છતાં અધિકારી જવાબ જો પત્રકારોને આપવાની પણ તસ્દી ન લેતા હોય તો એ વાત સમજી શકાય તેવી છે કે લોકો ફરિયાદ કરે તો તેનુ શું થતું હશે.