Mysamachar.in-જામનગર
આમ તો સૌરાષ્ટ્રભરમા સૌની યોજનાના કામો ચાલે છે ને બંધ રહે છે ક્યાક વેઠ તો ક્યાક ભ્રષ્ટ રીતરસમ અપનાવાય છે, ત્યારે જામનગર જિલ્લામા પણ જ્યા કામ ચાલે છે ત્યા પણ ખાસ કંઇ ભલીવાર નથી તેમ જણાવી અસંખ્ય ગ્રામજનો અને ખેડુતો આ મામલે લડી લેવાના મુડમાં જ છે તેની અનેક વિગતો સાંપડી રહી છે તેમાં હવે કાલાવડ તાલુકામા સૌનીના કામ ન થવાથી તેમજ જ્યા થાય છે ત્યા ભયંકર ગેરરીતી થવાથી જાણકારો ત્રાહિમામ પોકારી ગયા છે, તેવા અનેક દાખલાઓ છે તેમાં એક ખેડુતે દાસ્તાન વર્ણવી છે ગત દિવાળીથી ખોદકામ કર્યા છે પરંતુ કામ થયા વગર ખાડા પડ્યા છે એ સિવાય વળતરના પણ પ્રશ્નો હોઇ દાદ દેતુ ન હોઇ ખુદ ખેડૂતે માહિતી અધીકાર અધીનિયમ હેઠળ માહિતી માંગી છે, આ ખેડૂતે અરજીમાં જણાવ્યુ છે કે કાલાવડ તાલુકાના જાલણસર ગામના ખેડુતે જણાવ્યુ છે કે તેની ખેતીની જમીન આવેલ છે જેમા સૌની યોજના અન્વયે પાઈપ લાઈન નાખવામાં આવેલ છે.
અને 30% વળતર ચુકવેલ છે એટલે કે રૂા. 12,000/- આપેલ છે બાકી રકમ રૂા.24,000/- નુ ચુકવણું કરવામાં આવેલ નથી તેમજ ખેતરમાં 2019 ની દિવાળી ઉપર ખેતીની જમીનમાં ખોદાણકામ કરેલ છે અને હાલ જે તે સ્થિતિમાં જ છે જેથી પાક ન લઇ શકતા લાખો રૂપીયાનુ નુકસાન થયેલ છે માટે વળતર અંગે સવાલ ઉભા થયા છે આ અરજીમાં વધુમા માહિતી મંગાઇ છે કે ખેતરમાં સૌની યોજનાની કામગીરી કયા કોન્ટ્રાકટરને આપેલ છે જેના નામ તથા પુરા સરનામાં તેમજ તેને આપેલ કોન્ટ્રાક્ટના કરારની નકલ આપવી અને આ યોજનાનું કામ કેટલા સમયમાં પૂર્ણ કરવાની થતી હતું તેની મુદતની તારીખ આપવી તેમજ ખેડુતનું બાકી રહેતુ વળતર તેમજ નુકશાનીનું વળતર કેટલા સમયમાં ચુકવી આપવામાં આવશે તેની માહિતી આપવી ઉપરાંત ખેતરમાં સૌની યોજના અન્વયે થતા કામના સુપરવીઝન કરનાર અધીકારીનું નામ હોદ્દો અને તેના મોબાઈલ નંબર સાથેની માહિતી મંગાઇ છે માટે જોઇએ નિંભર સિંચાઇ તંત્ર ક્યારે અને કેટલી માહિતી આપે છે?