Mysamachar.in-જામનગર
સૌની યોજના..આ યોજના વડાપ્રધાન નરેન્દ્રમોદીના સ્વપ્ન સમો પ્રોજેક્ટ છે, હોય પણ ખરો…અને આ પ્રોજેક્ટનો સરકારનો હેતુ ખુબ સારો છે, પણ જમીની વાસ્તવિકતા એવી છે કે સરકારના આ પ્રોજેક્ટને બટ્ટો લગાડવા ચાલતા કામમાં પોલમપોલ હોવા છતા જવાબદારો સાવ નિષ્ફીકર છે કેમકે અનેક રજુઆતો છતા અને ભાગબટાઇના આક્ષેપો વચ્ચે છે…..ક ઉપરથી તપાસ આવતી નથી ત્યારે હવે સંવેદનશીલ મુખ્યમંત્રી સમગ્ર “કાંડ” હાથમાં લે તેવી માંગ પણ ઉઠી છે, બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનમાં જુદી-જુદી લીંકના જે કામો ચાલે છે તે દેખીતુ છે કે મામકાઓના જ હોય તો મામકાઓને સાચવવાના પણ હોય જો સાચવવાના હોય તો સામે થવુ એના કરતા સાથે થવુ સારૂ તેમ માની એક બે ચોક્કસ અધીકારીઓ જે ઉપરથી નીચે બધુ સંભાળી લે છે તેમણે ક્યાક ક્યાક તો મટીરીયલમા ક્યાક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં તો ક્યાક કામમાં જુથબંધી કરી હોવાની કે કરાવી હોવાની ચર્ચાઓ જાણકારોમાં છે, છતાં પણ બધું ચાલે છે,.આ યોજના સાકાર થાય તે માટે અલગ-અલગ સાઈઝ, ડાયામીટરની પાઈપ હોય તેમજ અલગ અલગ જિલ્લા,વિસ્તાર, ગામડાઓના ભૌગોલિક વિસ્તાર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે.
લાંબા ગાળાની યોજના હોય તો જે સરકારી વિભાગ કે એજન્સી દ્વારા પાથરવામાં આવી રહી છે. તેમાં ઘણી બધી ક્ષતિઑ સામે આવેલ છે, જામનગરના કાલાવડ નજીક થઇ રહેલ કામ પણ કેટલાક જાણકારોને મતે ઊંડી તપાસ માંગી લેતું છે, કારણ કે અહી તો માત્ર દાળમાં કાળું નહિ આખી દાળ જ કાળી છે. પણ માસ્ટર અધિકારી છે બધું સાચવી લેવા માટે સક્ષમ છે. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે પેટામાં કે એકના બદલે બીજી એજન્સી કામ કરતી હોવાના તેમજ સ્પેશીફીકેશન નેવે મુકીને કામ ચાલતા હોવાના અનેક પુરાવા હોઇ જવાબદારોએ માનવુ જ પડે એમ છે અને સ્વીકારવુ પડે તેમ છે કે બધુ બરાબર ચાલતુ નથી જો કે જાહેરમાં સ્વીકાર ન કરે તે અલગ બાબત છે. સિંચાઇ વિભાગ પાસે સ્ટાફ ન હોય પોતે યોગ્ય મોનીટરીંગ ના કરી શકતા હોય કે પછી ગમે તે કારણ હોય જંગી નાણા ખર્ચી કન્સલ્ટન્ટ નીમ્યા છે, જે તપાસ કરતા રહે દેખરેખ રાખે છે, વગેરે માનવાનુ પરંતુ જો તેમ થતુ હોય તો અવારનવાર ખામી ઉછળીને સામે કેમ આવે છે?
એટલે કે નક્કી થયેલી કુશળ એજન્સી કામ નથી જ કરતી કામ તો કોક બીજો કે ત્રીજો બળુકો કરવા લાગ્યો છે તેમ ગ્રામ્ય પંથકના અમુક જાણકાર જુથોનુ માનવુ છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને આવરી લેતી સૌની યોજનાની કામગીરી સરકારનું ઉત્તમ પગલું છે, પણ આ સરાહનીય યોજનાને સરકારી બાબુઓ ઠેકેદારો ભેગા મળીને સરકારની આબરૂને બટ્ટો લગાડી રહ્યા હોય તેમ ગતવર્ષે જામનગરના કાલાવડના કેટલાક ગામો તેમજ રાજકોટના કેટલાક ગામોમાં સૌની યોજનાની પાઈપલાઈનો જમીનમાં થી જાણે ભ્રષ્ટાચાર ઉછળીને બહાર નીકળી રહ્યો હોય તેમ બહાર આવી જતા આ બાબત મોટો ચર્ચાનો વિષય બન્યા હતા, અને કેટલાય દિવસો સુધી સરકારે આ બાબતે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, આક્ષેપો તો આજે પણ એવા જ થાય છે કે જામનગર જીલ્લાના કાલાવડ નજીક ચાલી રહેલા કામોમાં કથિત ભ્રષ્ટાચાર મીલી ભગતથી આચરવામાં આવી રહ્યો છે, અને ગુણવતા યુક્ત કામગીરી નિયમમુજબ કામગીરી કરવાને બદલે સસ્તું પડે તેમ કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે,