Mysamachar.in-
જામનગર 78- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજાનું પ્રચાર કાર્ય ખૂબ જ વેગવંતુ બન્યું છે, અને ગઈકાલે વોર્ડ નંબર-4 માં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કાર્ય હાથ ધરાયા પછી મોડી સાંજે વોર્ડ નંબર -4 ના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. જેમાં શહેર જિલ્લાના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, અને તેઓની ઉપસ્થિતિમાં સ્થાનિક વિસ્તારના અનેક આગેવાનોએ કોંગ્રેસને છોડીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેથી ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર -4માં તાકાત ખૂબ જ વધી છે, અને ઠેર ઠેર પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન થયું હતું. આ વેળાએ તેમની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, તેમજ સ્થાને ભારતીય જનતા પાર્ટીના શહેરના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, અને મેરામણભાઇ ભાટુ, ચૂંટણીનાં 78-વિધાનસભા વિસ્તારના ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, અને જડીબેન સરવૈયા, ઉપરાંત ચૂંટણીના સહ ઇન્ચાર્જ સામતભાઈ પરમાર, ખુમાનસિંહ સરવૈયા, મનસુખભાઈ ખાણધર, વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ સહદેવભાઈ ડાભી, વોર્ડના પ્રમુખ વિજયસિંહ ગોહિલ, વોર્ડના મહામંત્રી સુરેશભાઈ કંટારીયા, અને શૈલેષભાઈ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર આલાભાઇ રબારી, પ્રવીણભાઈ માડમ, અનુસૂચિત જાતિના શહેરમાં મંત્રી વિજયભાઈ પરમાર, મહિલા મોરચાના રેખાબેન વેગડ, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય નીતિનભાઈ માડમ, નવાગામ ઘેડના અગ્રણી બાબુભાઈ માડમ, રબારી સમાજના અગ્રણી સચિનભાઈ રબારી, કોળી સમાજના અગ્રણી રામજીભાઈ બારૈયા, તેમજ કોર્પોરેટર જીતેશભાઈ સીંગાળા, ભાજપના મહિલા અગ્રણી ભાનુબેન..
ઉપરાંત 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવારના અંગત મદદનીશ ચંદ્રવદનભાઈ ત્રિવેદી, શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી કાંતિભાઈ બારોટ, યુવા મોરચાના શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ યતીનભાઈ પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ વીણાબા જાડેજા, ઉપ-પ્રમુખ હિનાબા જાડેજા, સામાજિક આગેવાનોમાં મહાવીરસિંહ રાણા, 78- વિધાનસભા વિસ્તારના મીડિયા વિભાગના પ્રભારી પી.ડી. રાયજાદા, યુવા મોરચાના મહામંત્રી અજયભાઈ અંબાસણા, યુવા મોરચાના કુલદીપસિંહ ચુડાસમા, કોસાધ્યક્ષ ઉપેન્દ્રસિંહ રાણા, યુવા મોરચાના રવિરાજભાઈ બારોટ, ઉપરાંત કેતનભાઇ કોટક, જય નળીયાપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં સ્થાનિક વિસ્તારના કાર્યકરો જોડાયા હતા, અને વોર્ડ નંબર -4ના કાર્યાલય ઉદ્ઘાટન વેળાએ ઉપસ્થિત રહેલા સ્થાનિક વિસ્તારના અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો વગેરેએ હાજરી આપી હતી, અને ઉમેદવાર રિવાબા જાડેજા ને જંગી બહુમતીથી વિજય બનાવવાનો નિશ્ચય કર્યો હતો.
-સ્થાનિક વિસ્તારના કોંગી અગ્રણીઓ વિશાળ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ મેળવી લેતાં કોંગ્રેસમાં સન્નાટો
જામનગરના વોર્ડ નંબર 4 ના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વેળાએ સ્થાનિક વિસ્તારના કોંગ્રેસના મહિલા આગેવાનો સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજા, તથા દિયાબા ઉમેદસિંહ જાડેજા, ઉપરાંત શિવરાજસિંહ રઘુભા જાડેજા, ઉમેદસિંહ જાડેજા ઉપરાંત તેઓના સમર્થનમાં ઉપસ્થિત રહેલા અનેક કોંગ્રેસના કાર્યકરોએ સાંસદ પૂનમબેન, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટર, શહેરના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, વગેરેની આગેવાનીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો, તેથી કોંગ્રેસમાં ભારે સપાટો બોલી ગયો હતો, અને વોર્ડ નંબર -4માં ભાજપની તાકાત ખૂબ જ વધી છે.આ ઉપરાંત આમ આદમી પાર્ટીના અગ્રણી જુવાનસિંહ નવલસિંહ રાઠોડ કે જેઓએ પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હોવાથી સ્થાનિક વિસ્તારની આપ પાર્ટીના કાર્યકરોમાં પણ સોંપો પડી ગયો છે.