Mysamachar.in-જામનગર:
જામનગરમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં આવલે સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટના સામે આવી છે. અને જે મામલે એન્ટી રેગીંગ કમિટી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે, આ અંગે આજે ડો.દિનેશ સોરાણી ઇન્ચાર્જ પ્રિન્સીપાલએ મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ આપતા કહ્યું કે ગત સોમવારે સેકન્ડ યર બોયસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદ મળી મળી કે તેમના સીનીયર ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ મોડીરાત્રીના પરિચયના નામે જુનીયરને બોલાવી અને હેરાન કરવામાં આવે છે, આ ફરિયાદ મળતા એન્ટી રેગીંગ કમિટીની બેઠક પણ બોલાવી છે. અને આ અંગે કમિટીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.અને તે બાદ પગલા લેવામાં આવશે,
બીજા વર્ષના 28 જુનીયર વિદ્યાર્થીઓ છે જેને 15 સીનીયર વિદ્યાર્થીઓ સામે રેગીંગની ફરિયાદ કરી છે.અને મોડીરાત્રે જુનીયરને પરિચયને નામે બોલાવામાં આવતા હતા, અને પરેશાન કરતા હતા, આ અંગે હાલ એન્ટી રેગીંગ કમિટી દ્વારા બન્ને પક્ષોએ નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.જો ફરિયાદ સાચી નીકળે અને કસુરવાર ઠરે તો એન્ટી રેગીંગની ગાઈડલાઈન્સ પ્રમાણે હોસ્ટેલમાં નિકાલથી માંડીને અન્ય પગલાઓ લેવાઈ શકે તેમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.અને તે અંગે સત્ય શું તે આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઇ જશે.