Mysamachar.in-
ગુલાબનગર સતવારા સમાજની મીટીંગ 28 નવેમ્બરનાં રોજ મળેલ જેમાં, સમાજની કારોબારી-સલાહકાર સમિતિ-આગેવાનો- સમૂહ લગ્ન સમિતિ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સતવારા સમાજ બહોળી સંખ્યામાં હાજર રહીને વિધાનસભા 2022 નાં હાલ ચૂંટણીનું પર્વ ચાલી રહ્યું હોય જે આપણાં વડાપ્રધાનના આહ્વાનને ધ્યાને લઇ આગામી તારીખ 1 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન હોય, તે મતદાન 78- વિધાનસભાનાં ઉમેદવાર રિવાબા જાડેજાને જંગી બહુમતી (લીડ) થી જીતાડવા ભારતીય જનતા પાર્ટીના કમળનાં નિશાન ઉપર મતદાન થાય એ રીતે ગુલાબનગર સતવારા સમાજે એક જ સુરે જોશ-જુસ્સાથી જંગી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા અને વિકાસનાં કાર્યોને ગતિ (વેગ) અપાવવા સતવારા સમાજે સર્વાનુંમતે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર રિવાબા જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા ટેકો જાહેર કર્યો છે.
આ સતવારા સમાજની મીટીંગમાં સમાજના પ્રમુખ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન જસરાજભાઇ પરમાર, ઉપપ્રમુખ રમેશભાઇ નકુમ, મંત્રી હરિભાઇ બુમતારીયા, હિતેશભાઇ કણઝારિયા, ભરતભાઇ પરમાર, જયંતીભાઇ ખાણધર, સમાજનાં માર્ગદર્શક માવજીભાઇ નકુમ, ડે.મેયર તપન પરમાર, પૂર્વ ડે. મેયર મનસુખભાઇ ખાણધર, કિશોરભાઈ પરમાર, સમુહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ પુનિતભાઇ ખાણધર, મહેશભાઇ પરમાર, દિનેશભાઇ નકુમ, રાજુભાઇ પરમાર, પ્રવિણભાઇ પરમાર, પી.પી. પરમાર, મગનભાઈ પરમાર, જીવણભાઇ નકુમ તેમજ બહોળી સંખ્યામાં સતવારા સમાજ હાજર રહેલ હતા.