Mysamachar.in-જામનગર
જામનગર શહેરના સાધનાકોલોનીમાં વસવાટ કરતા અને તળાવનીપાળ પર પોપકોર્ન વહેચી અને પોતાનું ગુજરાન ચલાવતા એક રેકડીધારકને પોલીસે ખોટી કનડગત કરી અને મારી મારી ધમકી આપ્યાની ફરિયાદ અરજી જીલ્લા પોલીસવડાને કરવમાં આવી છે, મનોજ જ્ઞાનચંદાણી નામનો રેકડીચાલકના પિતાની રેકડી થોડા સમય પૂર્વે ખંભાલીયા ગેટ ચોકીના પી.એસ.આઈ એસ.પી.સોઢા અને સ્ટાફ દ્વારા પકડવામાં આવેલ ત્યારે છોડાવવા ગયલે અને પોતાના પિતાની રેકડી છોડી મુકવા તેને પોલીસ સમક્ષ આજીજી કરી હતી, પણ ગુસ્સે ભરાયેલા પી.એસ.આઈ સહિતના સ્ટાફે તેને માર મારેલ હતો,
એવામાં બે દિવસ પૂર્વે મનોજ પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે વસંતવાટિકા નજીક ખંભાલીયા ગેટ ચોકીના પી.એસ.આઈ એસ.પી,સોઢા અને દશરથસિંહ પરમારે મનોજને રોકી અને ધમ્કાવેલ ટુ અમારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગયો હતો અમારું શું તૂટી ગયું…તેમ કહી ગાળો ભાંડવા લાગેલ અને દસરથસિંહ અને પીએસઆઈ ઝાપટો અને ઢીકાપાટુંનો માર મારેલ અને મોટરસાઈકલ ઝુંટવી લઇ અને કેસ વધુ હેરાન કરવા સારું કેસ દાખલ કરેલ
જે બાદ ઢીકાપાટું ના મારને કારણે મનોજે જી જી હોસ્પિટલ ખાતે પહોચી એમએલસી કેસ કરી અને સારવાર લીધેલ જે બાદ જે બાદ ફરિયાદ અરજી સાથે તે સીટી એ ડીવીઝન પહોચ્યો હતો જ્યાં તેની ફરિયાદ લેવાનીના પાડી દેવામાં પાડી તો તે એસ.પી.કચેરી ખાતે પહોચ્યો હતો, જ્યાં પણ એસ.પી. ને મળવા દેવામાં આવેલ નહિ અને માત્ર અરજી આપવી હોય તો આપી દો તેમ જણાવેલ હતું..આમ અંતે થાકી ગયેલા રેકડીચાલક દ્વારા પીએસઆઈ અને જવાબદાર સ્ટાફ સામે પગલા લેવા ફરિયાદ અરજી આપવામાં આવી છે હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું છે.