Mysamachar.in-જામનગરઃ
જામનગર વીજવિભાગમા દરવર્ષે અંદાજે ૨૫૦ કરોડનુ મટીરીયલ મેન્ટેનન્સ રીપેરીંગ વગેરેમા વપરાય છે, આટલી તો મટીરીયલ કોસ્ટએ સિવાય લેબરખર્ચ, વ્હીકલખર્ચ, વહિવટી ખર્ચ વગેરે તો અલગ થાય છે, દર વર્ષે આ ખર્ચ વધતુ જાય એ તો સ્વાભાવીક છે પરંતુ તમામ મટીરીયલ વપરાશનુ જસ્ટીફીકેશન કોણ નક્કી કરે છે…તે પુછવા વાળુ કોઇ નથી કેમકે અધીક્ષક પણ રસ હોય તેમ બતાતું નથી માટે ગમે તેમ રગશીયુ ગાડુ ગબડે છે,
સમગ્ર રીતે કથિત ગેરરીતિઓમાં જોઇએ તો વપરાશ ઉપરાંત ભથ્થાનો વાહનનોનો રિપેરીંગનો સમયનો શક્તિનો ઘસારો વ્યય એ બધુ તો અલગ જ ગણાય ને.? તેમજ આ વપરાશના આકડાઓ પરથી જોઇએ તો રોજનુ એક ડીવીઝનનુ દોઢ લાખનુ રીપેરીંગ કે મેન્ટેનન્સ મટીરીયલ વપરાય છે, ત્યારે ખરેખર તેની જરૂર છે કે નહી? તે નક્કી કોણ કરે? કોઇ કંટ્રોલ ન હોઇ લગત સ્ટાફ લાભ ગેરલાભ બધુ જ લે તો પણ કોઇ ને ખ્યાલ જ ન આવે કેમકે મોટાભાગે સૌ પોતપોતાનામાં પડ્યા છે, અમુક જાણે છે તેવા મૌન છે, આ સમગ્ર ગેરરીતી પાછળ જંગી કિંમતી સ્ટોક જોઇ દાઢ ડળકે છે માટે જ જ આમ થાય છે તેમ આંતરિક સુત્રો જણાવે છે, કેમકે દાઢ ડળકે તો જ આ આકડો આટલો ઉંચો જાય નહિતો મેન્ટેનન્સ રિપેરીંગમા આટલુ મટીરીયલ ન વપરાય તેવુ બને પણ જીણુ જીણુ કાંતે ને મેળ આવે ત્યારે મોટો ઘા કરવાની નિતિ રખાય તો પ્રજાના નાણાની બરબાદી પ્રજાના ભોગે થયા રાખે એ સ્વાભાવિક છે.