Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા છેલ્લા કેટલાક સમયથી રોગચાળાએ માજા મૂકી છે,શહેરમા આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલો વિવિધ રોગોના દર્દીઓથી ઉભરાઈ રહી છે,જેમાં વાયરલ ઇન્ફેકશન સાથે સાથે છેલ્લા બે માસમા ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે,જામનગર શહેરમા આજ દિવસ સુધીમાં ડેન્ગ્યુંના ૭૬ કેસો નોંધાયા નું ખુદ જામનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જણાવે છે,જયારે એક ૪૦ વર્ષીય પુરુષનું ડેન્ગ્યુંથી શંકાસ્પદ મોત થયાનું પણ ચોપડે છે,
ડેન્ગ્યુના રોગને કાબુમાં લેવા માટે હાઉસ ટુ હાઉસ સર્વે કરાવવો પડે ટીમો ને ઘરે મોકલવી પડે..દવાઓનો છટકાવ સાથે લોકોમા જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ કરવા પડે પણ ખાટલે મોટી ખોટ એ છે કે વધી રહેલા રોગચાળા સામે મનપા પાસે પુરતી ટીમો પણ નથી કે જે હાઉસ ટુ હાઉસ સર્વે કરી શકે..અને જે ટીમો અત્યારે માર્યાદિત છે તેનાથી કામ ચલાવવું પડે છે,
એવામાં મનપાના આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક દિવસોમાં ૧૫ જેટલી અન્ડર કન્સ્ટ્રકશન સાઈટો પર ડેન્ગ્યુના મચ્છરના બ્રીડીંગ જોવા મળતા તેને નોટીસો પણ ફટકારી છે,પણ જેને આ નોટીસો આપવામાં આવી છે તે સાઈટો કદાચ કોઈ મોટા બિલ્ડરોની હશે એટલે મનપાના આરોગ્ય વિભાગને તે નોટીસો કોને આપવામાં આવી તે નામો આપતા ડર લાગે છે? કે પછી નોટીસો આપતા અપાઈ અને પછી પગતળે રેલો આવ્યો માટે નામો દબાવી દેવાયા છે,તે બાબત આરોગ્ય વિભાગ સામે શંકા પ્રેરનારી ચોક્કસથી કહી શકાય.