Mysamachar.in:જામનગર:
જામનગર શહેર અને જીલ્લામા આજે થોડા વિરામ બાદ ફરી મેઘરાજાએ સાંજથી જમાવટ કરતાં જામનગર શહેરમા માત્ર બે કલાકમાં અઢી ઈંચ વરસાદ જયારે અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, આ સાથે જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમા છે. જયારે જીલ્લાના અન્ય જળાશયોમા ના અમુક ઓવરફ્લો થઇ ચુક્યા છે, તો અમુક ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.