Mysamachar.in-જામનગર:
જામનગરના કિશાનચોક નજીક ગતસાંજે એક યુવકની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા નીપજાવવાના મામલે શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે, જે બાદ રાત્રીના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મૃતકના ભાણેજ દ્વારા ત્રણ શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે, આરોપીઓ અશ્વિન ઉર્ફે બાડો, જિતેન્દ્ર ઉર્ફે ટકો અને વિપુલ ચૌહાણ રીક્ષામાં બેસી ફુલ અવાજથી ટેપ વગાડતા હોય જેને મૃતક યુસુફભાઇ આમદભાઇ ખફી ટેપ ધીમે વગાડવા કહેતા…..
ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ અને યુસુફભાઇ સાથે બોલાચાલી કરી ગાળો કાઢી રીક્ષામાં બેસી ચાલ્યા જઇ રીક્ષા આગળથી પાછી વાળી આરોપીઓ પૈકીના અશ્વિન ઉર્ફે બાડોએ રીક્ષામાંથી નીચે ઉતરી પોતાની પાસે રહેલ છરી વડે યુસુફભાઇને છાતીના ભાગે છરીનો એક ધા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી તમામ આરોપીઓ રીક્ષામાં બેસી નાશી છૂટ્યા હોય પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.