Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબીએ એ એક એવી ત્રિપુટી ને ઝડપી પાડી છે, જે વધારે તો દુકાનોમાં જ વેપારીઓની નજર ચૂકવીને ખાનામાં રાખવામાં આવેલ રોકડ રકમની ચોરી કરીને તરખાટ મચાવતી હતી, ઝડપાયેલા શખ્સો અકરમ ઉર્ફે અકુડો ઓડિયા, ઇમરાન દરજાદા અને રિજવાન ઉર્ફે ડોચકી આ તમામ ખોજાવાડ વિસ્તારમાં રહે છે, પણ તેવો ચોરીની ઘટનાને જામનગરમાં નહી પરંતુ જામનગર બહારના જીલ્લાઓમાં અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે,
ત્રિપુટીમાં અમુકવાર ત્રિપુટી એન અમુક વખત બીજા સાથીઓ સાથે તો અમુક વખતે એકલા એમ કુલ નવ ચોરીઓને અંજામ આપ્યાનું કબુલ્યું છે, જેમાં ધોરાજીમાં જંતુનાશક દવાની દુકાનમાં ૭૯૦૦૦ રોકડા, નડિયાદમાં આવેલ હાર્ડવેરની દુકાનમાંથી ૨.૨૫ લાખ રોકડા, મુંબઈના ભીંવડીમાં કલરની દુકાનમાંથી ૩૧૦૦૦ રોકડા, મુંબઈમાં મીરાંરોડ પર કટલેરીની દુકાનમાંથી ૭૫૦૦, મુંબઈમાં મસ્જીદ બંદર રોડ પર રસ્સાની દુકાનમાંથી ૨૬૫૦૦, નવસારીના ચીખલી નજીક પરચુરણ માલસામાનની દુકાનામથી ૬૨૦૦૦, માલેગાવમાં ફરસાણની દુકાનમાં થી ૩૦,૦૦૦, મહારાષ્ટ્રના ધુલિયામાં સાબુની દુકાનમાંથી ૩૫૦૦૦, અને ઘુલીયાથી આગળ જતા એક ગામમાં સાયકલની દુકાનમાંથી ૧૬૦૦૦ ની ચોરી કાર્યની કબુલાત આપી છે,
એલસીબીના ફીરોજ દલ, નિર્મળસિંહ બી જાડેજા અને વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે આ ત્રણેય શખ્સો મહાપ્રભુજીની બેઠક આસપાસના વિસ્તારમાં છે ત્યાંથી ૭૦૦૦૦ રોકડા, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખના મુદામાલ ને શક પડતી મિલકત તરીકે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.