Mysamachar.in-જામનગર:
કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે હાલમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર મોટી બાણુંગાર ગામ નજીક ઉતરપ્રદેશના 6 મજૂરો પગપાળા જઈ રહ્યા હોય આ છ જેટલા મજૂરોની એલસીબી સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેવો હાલમાં કાલાવડ બાયપાસ એટલે કે ઠેબા ચોકડી નજીક નિર્માણ પામી રહેલ PVR સિનેમાંમા કલરકામની મજુરી કરતા હોય અને તેના માલિક ઈલેશ રમણીકલાલ ભદ્રાની દેખરેખ અને સંભાળ હેઠળ હોય ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસંધાને રોગચાળો વકરે નહિ તે માટે આવા મજૂરો જે જગ્યાએ છે ત્યાં જ રહીને 21 દિવસ લોકડાઉનનું પાલન કરવું ફરજીયાત છે,
ત્યારે આ ગાઈડલાઈન મુજબ PVR સિનેમાના માલિકે ઈલેશ ભદ્રાએ આ સંભાળ રાખવાની હોય અને મજૂરો તેમના વતનમાં જવાનો પ્રયત્ન કરે તો રોગ વધુ ફેલાય શકે તેમ હોય છતાં પણ આવી સ્થિતિમાં સિનેમામાલિકે સરકારના નિયમોનું પાલન નહી કરતા મજુરોને તરછોડી દઈ સારસાંભળ રાખેલ ના હોય તેના વિરુદ્ધ એપેડમિક ડીસીઝ એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.