Mysamachar.in-જામનગર:
જામનગર PWD મા અધીકારી હોવા છતા ધણી ધોરી વગરની કચેરી હોવાનો ઘાટ ઘડાયો છે, કેમકે સ્ટેટ પીડબલ્યુડી હેઠળના નાલા, પુલીયા, રોડ બીલ્ડીંગ વગેરેના કામો યોગ્ય સુપરવીઝન વગર ચાલે છે, આવ આક્ષેપો અને રજુઆતો અનેક વખત અનેક સ્તરે થતી હોય છે, અને સામે આવતી પણ હોય છે, અને લગત મોટાભાગના અધીકારીઓ કોઇક કારણોસર ઠેકેદારોના ઝડપી બીલ મંજુર કરવાની લાહ્યમાં જ પડ્યા હોવાનુ ચર્ચાય છે,
હાલ તો જામનગરમાં ઘણા કામો ચાલે પણ ઉદાહરણ તરીકે એક લઇએ તો…શહેરના લાલ બંગલા કમ્પાઉન્ડમાં સર્કિટ હાઉસની બી વિંગનું કામ ગોકળગાયની ગતિએથી ચાલી રહ્યુ છે, જયાં અનેક અધિકારી અને પ્રધાનોની અવર-જવર રહે છે, છતા લાંબા સમયથી સર્કિટ હાઉસનું કામ અધુરૂ ઉભુ છે. જાણે સોનાનું સર્કીટ હાઉસ આકાર પામી રહ્યું હોય તેમ કામ પૂર્ણ જ નથી હતું, આ કામના કોન્ટ્રાકટરને માર્ગ મકાન વિભાગ દ્વારા કામને લઇ ધીમી ગતિના બાબતે નોટીસો ફટકારાય હતી પરંતુ કોન્ટ્રાકટરને નોટીસ આપીને સંતોષ માની લીધો હોય તેવો ઘાટ આજે પણ જોવા મળે છે. કારણ કે સ્થિતિ તો જૈસે થે જેવી જ છે,
તો એવુ જાહેરમાં ચર્ચાઇ રહ્યુ કે આ સર્કિટ હાઉસ પાર્ટ-2ના કામના કોન્ટ્રાકટરને કોઇ મોટા આર્શીવાદ છે કે પછી અન્ય કોઇ પડદા પાછળની ભૂમિકા ભજવે છે તેની ચર્ચા જાગી છે.માર્ગ અને મકાન વિભાગ હસ્તક જો સર્કિટ હાઉસ પાર્ટ-2નું કામ ચાલી રહ્યુ છે તે કામ ભગવાન ભરોસે ચાલે છે, અહિયા જે કામ ચાલતુ હોય તે પણ તમામ માર્ગ મકાન વિભાગના સરકારના નીતિ નિયમોની ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. અને કોન્ટ્રાકટર પણ અધિકારીઓની નોટીસોને ઘોળીને પી ગયા છે. કારણ કે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના કાયદા પ્રમાણે જે કામ ચાલતુ હોય ત્યા જાહેર નિવેદનનું બોર્ડ મુકવુ જોઇએ તે પણ મુકેલ નથી જેથી આ કામની ગુણવત્તા આખરે અનેક સવાલો ઉઠયા છે.
પરંતુ આ સવાલોનો જવાબ કોઇ આપવા તૈયાર નથી. ખરેખર જયાં કામની બાજુમાં સરકારી મહેમાનો ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ આવતા હોવા છતા સરકારી બાબુના નાક નીચે ગુણવતા વગરનું અને ગોકળ ગાયની ગતિએ કોન્ટ્રાકટર કામ ચલાવે તે ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. જો આ કામ અંગે તપાસ થાય તો અનેક અધિકારીઓને છાંટા ઉડે તે નવાઇ નહિ, આવુ જ બીજા જાહેર બાંધકામોમા થઇ રહ્યાનુ જાણકારો જણાવી જનતારેડ કરી કામની સ્પીડ અને ગુણવતા ચકાસવી જોઇએ તેવા અભિપ્રાય મળી રહ્યા છે